બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટનું સંમેલન વધુ મતદાન થાય તે માટે કે પરશોતમ રૂપાલાના સમર્થનમાં? અનેક પ્રકારની ચર્ચા શરૂ
Last Updated: 07:40 PM, 4 May 2024
પાટીદાર સમાજના સ્નેહમિલન માટે આમંત્રણ આપતી પત્રિકા વાયરલ થઈ છે, પરંતુ પત્રિકામાં આયોજકનું નામ લખવામાં આવ્યું નથી. જેથી અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. આ તમાામ વચ્ચે લલિત કગથરા, પાટીદાર અગ્રણી પરષોતમ પીપળીયા અને રાજકોટના સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશ મેરજાએ પત્રિકાને લઈ નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
કોના માટે સંમેલનનું કરાયું આયોજન?
ADVERTISEMENT
જેમાં મુકેશ મેરજાએ ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સંમેલનનું આયોજન કર્યું હોવાનું નિવેદન આપ્યું છે, જ્યારે લલિત કગથરા અને પરષોત્તમ પીપળીયાએ આ સંમેલન પરશોતમ રૂપાલાના સમર્થનમાં થતું હોવાનું નિવેદન આપ્યું છે. અત્રે જણાવીએ કે, રાજકોટ અને ગુજરાતમાં મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ લોકસભાની બેઠક જીતવા માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે. રાજકોટમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે વેર-ઝેર કરતી પત્રિકા ફરતી થયાના બીજા દિવસે તદ્દન વિરૂદ્ધની સ્થિતિ દેખાઈ રહી છે. આજે સવારથી સમસ્ત પાટીદાર સમાજને સ્નેહમિલન માટે આમંત્રણ આપતી પત્રિકા વહેતી થઈ છે.
પત્રિકામાં શું લખ્યું છે ?
પત્રિકામાં લખ્યું છે કે ચૂંટણી આવી રહી છે અને લોકશાહીના આ પર્વમાં આપણે બધા ભાગ લઈએ તે માટે સ્નેહમિલન યોજ્યું છે. પરંતુ પત્રિકાના આયોજક કોણ છે એનું નામ લખ્યું નથી. સ્વાભાવિક છે કે રાજકોટના બન્ને મુખ્યપક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પાટીદાર છે. ત્યારે આ સ્નેહમિલન પરેશ ધાનાણીની તરફેણમાં થઈ રહ્યું છે કે પરશોતમ રૂપાલાને ટેકો આપવા થઈ રહ્યું છે એ હજુ પણ રહસ્યનો વિષય છે. સ્થાનિક રાજકોટના કેટલાક અગ્રણીઓને અમે પૂછ્યું તો એમને આમંત્રણ તો મળ્યું છે પરંતુ આયોજક કોણ છે એની ખબર નથી. સાંજે સાત વાગે એ રહસ્ય ખુલ્લુ થશે કે ચૂંટણી સમયે સમસ્ત પાટીદાર સમાજને કોણ નોતરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT