બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / WhatsApp tell Delhi HC, Will exit India if forced to break encryption
Vidhata
Last Updated: 09:55 AM, 26 April 2024
દિલ્હી હાઈકોર્ટમાં WhatsApp એ એન્ક્રિપ્શન હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આવું કરવા પર મજબૂર કરવામાં આવશે, તો કંપની ભારતમાં તેની કામગીરી બંધ કરી દેશે. વાસ્તવમાં, મેટાની કંપનીએ IT નિયમ, 2021ને પડકાર્યો છે. ખાસ વાત એ છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppના ભારતમાં 40 કરોડથી પણ વધુ યુઝર્સ છે.
કંપનીનું કહેવું છે કે યુઝરની પ્રાઈવસીની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષા કરવામાં આવે છે. આના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મેસેજ મોકલનાર અને તેને મેળવનાર જ અંદરનો કન્ટેન્ટ જાણી શકે. કંપની તરફથી કોર્ટમાં હાજર રહેલા તેજસ કારિયાએ ડિવિઝન બેંચબે કહ્યું, 'એક પ્લેટફોર્મ તરીકે અમે કહી રહ્યા છીએ કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સએપ જતું રહેશે.'
અહેવાલ મુજબ, કારિયાનું કહેવું છે કે લોકો પ્રાઈવસી ફીચર્સને કારણે જ વોટ્સએપનો ઉપયોગ કરે છે. કંપની IT રૂલ્સ 2021 ને પડકારી રહી છે, જેમાં મેસેજને ટ્રેસ કરવા અને મેસેજ મોકલનારની ઓળખ કરવાની વાત કરવામાં આવી છે. કંપનીનો તર્ક છે કે આ કાયદાથી એનક્રિપ્શન નબળું થઈ જશે અને ભારતીય બંધારણ હેઠળ યુઝર્સની ગોપનીયતાની સુરક્ષાનું ઉલ્લંઘન થશે.
ખાસ વાત એ છે કે ગયા વર્ષે આયોજિત મેટાનાં એક કાર્યક્રમમાં કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, 'ભારત એક એવો દેશ છે જે સૌથી આગળ છે. લોકો અને વ્યવસાયો મેસેજિંગને કેવી રીતે અપનાવે છે તેમાં તમે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યાં છો.' વોટ્સએપનું કહેવું છે કે નિયમો કન્ટેન્ટના એન્ક્રિપ્શન અને યુઝર્સની ગોપનીયતાને નબળી પાડે છે.
વધુ વાંચો: CJI ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટનો WhatsApp નંબર જાહેર કર્યો, આસાનીથી થશે હવે આ બધા કામ
રિપોર્ટ અનુસાર, કારિયાએ કહ્યું, 'દુનિયામાં ક્યાંય પણ આવો કોઈ નિયમ નથી. બ્રાઝિલમાં પણ નહીં. અમારે એક આખી ચેઈન રાખવી પડશે અને અમને ખબર નથી કે કયા મેસેજને ડિક્રિપ્ટ કરવાનું કહેવામાં આવશે. આનો અર્થ એ છે કે લાખો મેસેજ વર્ષો સુધી સ્ટોર કરીને રાખવા પડશે.'
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ