બ્રેકિંગ ન્યુઝ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
VTV / સ્પોર્ટસ / Cricket / જવું હતુ કોલકતા પણ 980 કિ.મી. દૂર ઉતર્યું KKRનું વિમાન, હવામાં થઇ ગઇ મોટી 'રમત'
Last Updated: 11:57 PM, 6 May 2024
આઈપીએલ 2024માં કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ નંબર 1 પર છે, હવે તેને આગામી મેચ કોલકતામાં રમવાની છે પરંતુ આ ટીમ ગુવાહાટી પહોંચી ગઈ છે. કોલકતા નાઈટ રાઈડર્સની ચાર્ટર્ડ ફ્લાઈટને કોલકતાના બદલે ગુવાહાટી કેમ ડાયવર્ટ કરવી પડી તે એક મોટો પ્રશ્ન છે.
ADVERTISEMENT
IPL 2024માં કોલકતા નાઈટ રાઈડર્સની ટીમનો જલવો છે. આ ટીમ 11માંથી 8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પ્લેઓફ માટે લગભગ ક્વોલિફાઈ થઈ ગઈ છે. તેની છેલ્લી મેચમાં આ ટીમે લખનૌ સુપરજાયન્ટ્સને એકતરફી અંદાજમાં 98 રનથી હરાવ્યું હતું. હવે કોલકતા નાઈટ રાઈડર્સે આગામી મેચ ઈડન ગાર્ડન્સ ખાતે 11મી મેના રમવાની છે પરંતુ આ ટીમ કોલકતાના બદલે ગુવાહાટી પહોંચી ગઈ છે. વાસ્તવમાં લખનૌથી પરત ફરતી વખતે કોલકતાની ટીમ સાથે વચ્ચે જ હવામાં કંઈક થયું જેના કારણે ટીમનું વિમાન 980 કિમી દૂર ઉતારવું પડ્યુ છે.
Travel update: KKR's charter flight from Lucknow to Kolkata diverted to Guwahati due to bad weather ⛈️
— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024
Flight currently standing at the Guwahati Airport tarmac. More updates soon pic.twitter.com/XFPTHgM2FJ
ADVERTISEMENT
કોલકતાની ટીમ સાથે શું થયું?
ખરાબ હવામાનને કારણે કોલકતાની ટીમ ખરેખર ગુવાહાટી પહોંચી હતી. KKRએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ખરાબ હવામાનને કારણે ટીમની ફ્લાઈટ કોલકાતાથી ગુવાહાટી ડાયવર્ટ કરવામાં આવી છે. આ ન્યુઝ લખાય છે ત્યા સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનું વિમાન ગુવાહાટીમાં જ હતું.
આ પણ વાંચોઃ SRH vs MI: જુનિયર બુમરાહ મેચ જોવા પહોંચ્યો, વાનખેડે સ્ટેડિયમની તસવીરો થઈ
કોલકતાને લાંબો બ્રેક મળ્યો છે
કોલકતા નાઈટ રાઈડર્સ લાંબા બ્રેક પર જઈ રહ્યું છે કારણ કે આ ટીમ તેની આગામી મેચ 11મી મે શનિવારે રમવાની છે. આ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. જો કોલકાતા તે મેચ જીતી જાય છે, તો તે માત્ર પોઈન્ટ ટેબલમાં ટોચ પર જ રહેશે નહીં પરંતુ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ જશે. સુનીલ નારાયણે આ સિઝનમાં કોલકતા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીએ 11 મેચમાં 32 છગ્ગાના આધારે 461 રન બનાવ્યા છે. નરિનનો સ્ટ્રાઈક રેટ પણ 180થી વધુ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT