બ્રેકિંગ ન્યુઝ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સૌથી પોપ્યુલર પાત્ર ટપ્પૂનું છે. જેને પહેલા ભવ્ય ગાંધી નીભાવતા હતા. પરંતુ પછી મોટા ટપ્પૂનું પાત્ર રાજ અનાદકટે નિભાવ્યું. તેમને 5 વર્ષ સુધી આ રોલ નિભાવ્યો. બાદમાં શો છોડવાનો નિર્ણય કર્યો. એવામાં રાજ અનાદકટે હવે શો છોડવાના ઘણા સમય બાદ પોતાની નવી શરૂઆત વિશે વાત કરતા શો છોડવાનું કારણ જણાવ્યું છે.
ADVERTISEMENT
View this post on Instagram
A post shared by Raj Anadkat (@raj_anadkat)
ADVERTISEMENT
એક્ટર કરી રહ્યા છે નવી શરૂઆત
ગુરૂવારે રાજ અનાદકટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બિયર્ડ લુકમાં દેખાઈ રહેલા રાજ કોઈ ડોક્યૂમેન્ટ પર સાઈન કરી રહ્યા છે. આ ફોટોને પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, "નવી શરૂઆત".
તેની સાથે જ તેમને ફેંસ શુભકામનાઓ આપવા લાગ્યા. સાથે જ પુછવા લાગ્યા કે નવી શરૂઆત કઈ વસ્તુની છે. એક્ટરે તેના થોડા જ સમય બાદ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ પોસ્ટ કરી. તેમાં લખ્યું હતું કે તે આજે ફેંસના સવાલોના જવાબ આપશે અને તેના થોડા જ સમય બાદ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો જેમાં પોતાના વિશે ઘણા ખુલાસ કરતા એવું પણ જણાવ્યું કે તેમણે તારક મહેતાના ઉલ્ટા ચશ્માને કેમ છોડ્યું હતું.
ADVERTISEMENT
View this post on Instagram
A post shared by Raj Anadkat (@raj_anadkat)
ADVERTISEMENT
આ કારણે છોડ્યો શો
રાજે જણાવ્યું, "હું જ્યાં પણ જઉ છું લોકો મને એજ સવાલ કરે છે કે તમે તારક મહેતા કેમ છોડ્યું હું ઘણી વખત આ વિશે વાત કરી ચુક્યો છું પરંતુ છતાં આજ સુધી મને આ સવાલ ખૂબ જ પુછવામાં આવે છે. માટે મેં વિચાર્યું કે આ સવાલનો જવાબ આપી દઉ. મેં આ શોમાં 5 વર્ષ સુધી કામ કર્યું, જો હું ખોટો નથી તો મેં આ શોમાં એક હજારથી વધારે એપિસોડ્સ કર્યા છે. મારી આ સફર સુંદર રહીં પરંતુ મને એક એક્ટરના રૂપમાં આગળ વધવું હતુ અને વધારે ગ્રો કરવું હતું. હું આ ક્ષેત્રમાં અલગ અલગ પાત્ર જીવવા માંગું છું અને સાથે જ જીવનમાં પણ નવી વસ્તુઓ જોવા માંગુ છું. માટે મેં આ શોને છોડવાનો નિર્ણય કર્યો. હું હંમેશા આ રોલનો આભારી છું. તમે મને ટપ્પૂના રોલમાં સ્વીકાર્યો તેના માટે પણ બધાનો આભારી છું."
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.