બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / જંતર મંતરના વિરોધ પ્રદર્શન પર આરોહીનું નિવેદન, Insta પર સ્ટોરી મૂકી જણાવ્યો પોતાનો મત
Last Updated: 02:21 PM, 21 July 2026
દિલ્હીના જંતરમંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની દેશભરમાં ચર્ચા છે. એક બાજુ સોનમ વાંગચુક હજી પણ ઉપવાસ નથી તોડી રહ્યા, બીજી તરફ પીએમ મોદીએ આજની એનડીએની બેઠકમાં જવાબદારો સામે કડક પગલા લેવા કહ્યું છે. દેશભરમાં આંદોલનના સપોર્ટમાં અને આંદોલનના વિરોધમાં એમ બે ભાગલા પડી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર નરેટિવ્ઝની વૉર ચાલી રહી છે.
ADVERTISEMENT
શબાના આઝમી સહિત બોલીવૂડના કેટલાક સ્ટાર્સ CJPના આંદોલનને ટેકો આપી રહ્યા છે, તો ઘણા એક્ટર્સ હજી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટ્રેસ આરોહીએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ વ્યક્ત કર્યો છે. આરોહીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને વિદ્યાર્થીઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવો જરૂરી છે.
ADVERTISEMENT
આરોહીએ એવું પણ કહ્યું છે કે એજ્યુકેશન એ રાજકારણથી પર છે. વિદ્યાર્થીઓ ન્યાય, પારદર્શિતા મેળવવાના હકદાર છે. આરોહીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે,
ADVERTISEMENT
"મને એવા વિદ્યાર્થીઓની ચિંતા છે, જેમની સાથે ખોટું થયું છે અને તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનો અવાજ માત્ર તેમના પોતાના મેરિટ પર સંભળાવો જોઈએ. હું એક વાત સ્પષ્ટ કરવા ઈછ્છું છું. આ વાત કોઈ રાજકીય પક્ષની તરફેણમાં કે વિરોધમાં નથી. જ્યારે જયારે આવા કોઈ મુદ્દા આવે છે, ત્યારે તે તરત જ રાજકીય ચર્ચા અથવા તો નરેટિવ્ઝની વૉરમાં બદલાઈ જાય છે. અને મુખ્ય મુદ્દો દબાઈ જાય છે. વિદ્યાર્થીઓ કે જેમને ખરેખર તકલીફ છે, જેમને અસર થઈ છે, તેઓ બેકગ્રાઉન્ડમાં ધકેલાઈ જાય છે."
ADVERTISEMENT
ADVERTISEMENT
"શું આપણે માત્ર એકવાર રાજકારણ કરવાનું છોડી શકીએ? વિદ્યાર્થીઓને સાંભળીએ, તેમની મુશ્કેલીઓ સમજીએ. શિક્ષણ રાજકારણથી પર છે. વિદ્યાર્થીઓ ન્યાય, પારદર્શિતા ઝંખે છે. માત્ર આ જ મુદ્દો મુખ્ય હોવો જોઈએ. બીજુ કંઈ નહીં." ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદમાં પણ નીટ પેપર લીકના વિરોધમાં અને સોમન વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન થયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હવે ધીરે ધીરે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ આ મુદ્દે બોલી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.