બ્રેકિંગ ન્યુઝ
કહેવાય છે કે જ્યારે આપણા ઘરમા દેવી-દેવતાઓ બિરાજમાન થાય છે. તો તેમના પૂજા-પાઠ કરવાની સાથે તેમને ભોગ લગાવવાનું પણ ખાસ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે દેવી દેવતાઓને દિવસમાં ચાર વખત ભોગ લગાવવો જોઈએ અને જે આપણે ઘરમાં બનાવીએ છીએ સાત્વિક રીતે તેનો જ ભોગ લગાવવો જોઈએ.
ADVERTISEMENT

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ કે નિવેદ અર્પિત કરીએ છીએ તો તેની યોગ્ય રીત કઈ છે અને કેટલા સમય સુધી આપણે તેને ભગવાનની સામે રાખવો જોઈએ?
ADVERTISEMENT
ભગવાનની સામે કેટલો સમય રાખવો જોઈએ ભોગ?
અંદાજે આપણને ભોજન કરવામાં 5, 10 કે 15 મિનિટ લાગે છે. એવામાં જ્યારે તમે ભગવાનને ભોગ લગાવો ત્યારે તેમની સામે લગાવેલો ભોગ ક્યારેય પણ તરત ન હટાવી લેવો જોઈએ. સાથે જ તેને વધારે સમય સુધી સામે રાખી પણ ન મુકવો જોઈએ. ભોગ તમારે 10થી 15 મિનિટ બાદ તેમની સામેથી હટાવવો જોઈએ. જેવી રીતે આપણે ભોજન કરીએ છીએ તેવી જ રીતે ભગવાનને પણ ભોજન ખાવામાં કે ભોગ ગ્રહણ કરવામાં સમય લાગે છે.

ADVERTISEMENT
વધુ વાંચો: આજ રાતથી શુક્રનું થશે રાશિ પરિવર્તન, જાણો આ ગોચરની તમારી રાશિ પર કેવી થશે અસર?
એવામાં તમે 10 કે 15 મિનિટ બાદ ભોગને હટાવીને તેને વહેચો. ભોગ વહેચવાના નિયમ કહે છે કે તમે જેટલા વધારે લોકોને ભગવાનનો ભોગ આપશો તેટલું જ વધારે ફળ તમને મળશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.