બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / જ્યારે મુસ્લિમ ભક્તને દર્શન આપવા ભગવાન જગન્નાથે રોક્યો હતો રથ, આજે પણ જીવંત છે આ પરંપરા
Last Updated: 05:16 PM, 16 July 2026
Jagannath Rath Yatra 2026: ઓડિશાના પુરીમાં આજે ભગવાન જગન્નાથની પવિત્ર અને ભવ્ય રથયાત્રા શરૂ થઈ છે. રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા દેવી સાથે નગરયાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા દરમિયાન, દેવતાઓ ગુંડિચા દેવીના મંદિરે જાય છે, જેમને તેમની ફોઈ માનવામાં આવે છે. આ મંદિર અને રથયાત્રા સાથે ઘણી કથાઓ જોડાયેલી છે; તેમાંથી મુસ્લિમ ભક્ત સાલબેગની કથા સૌથી વધુ પ્રખ્યાત છે.
ADVERTISEMENT
ભક્ત સાલાબેગની કથા માત્ર ભક્તિની શક્તિ વિશે જ નથી કહેતી, પરંતુ એ પણ દર્શાવે છે કે, પ્રભુ પ્રત્યેની નિષ્ઠાવાન શ્રદ્ધા એ જ સાચી ઓળખ છે. આજે પણ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથનો રથ ભક્ત સાલાબેગના મઝાર સામે થોડીવાર માટે રોકવામાં આવે છે.

ADVERTISEMENT
કેમ મઝારની આગળ રોકાય છે જગન્નાથજીનો રથ?
લોક માન્યતા મુજબ, એકવાર ભગવાન જગન્નાથની રથયાત્રા શ્રીમંદિરથી ગુંડિચા દેવી મંદિર તરફ જઈ રહી હતી ત્યારે થોડું અંતર કાપ્યા પછી ભગવાનનો રથ અચાનક અટકી ગયો. ભક્તોએ રથને આગળ વધારવા માટે ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. ભગવાનનો રથ શા માટે અટકી ગયો તે કોઈ સમજી શક્યું નહીં, લોકોએ વિવિધ પ્રકારની અટકળો લગાવવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ તેને ભગવાન જગન્નાથની ઈચ્છા માની, તો વળી અન્ય લોકોએ તેને દેવી સંકેત તરીકે જોયો.
ADVERTISEMENT
કહેવાય છે કે તે સમયે ભીડની વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ પ્રગટ થયા. કોઈ પણ વિવાદમાં પડવાને બદલે, તેમણે લોકોનું ધ્યાન નજીકમાં આવેલા સાલબેગના મઝાર તરફ દોર્યું. ત્યારબાદ, ભક્તોએ માત્ર ભગવાન જગન્નાથના જ નહીં, પરંતુ ભક્ત સાલબેગના પણ જયકારા કર્યા. કહેવાય છે કે જે ક્ષણે ભક્તોએ "જય જગન્નાથ"ની સાથે "જય ભક્ત સાલબેગ"નો નાદ લગાવ્યો, તે જ ક્ષણે અટકી ગયેલો રથ ફરીથી આગળ વધવા લાગ્યો. આ ઘટનાએ તે માન્યતાને વધુ દ્રઢ બનાવી કે ભગવાન પોતાના પ્રિય ભક્તના સન્માન માટે તેમના સમાધિ-સ્થળ પર અવશ્ય રોકાય છે.

ADVERTISEMENT
ભક્ત સાલબેગ કોણ છે ?
લોક કથાઓ મુજબ, ભક્ત સાલાબેગનું જીવન મુઘલ યુગ સાથે જોડાયેલું હતું, તેમના પિતા મુસ્લિમ અને માતા હિન્દુ હતા. એકવાર યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા ત્યારે તેમની માતાએ તેમને ભગવાન જગન્નાથના શરણે જવાની સલાહ આપી. તેમણે સાલાબેગને ભગવાનની મહિમા વિશે જણાવ્યું, જેનાથી તેમના હૃદયમાં તે દેવતા પ્રત્યે ઊંડી શ્રદ્ધા જાગૃત થઈ.તેઓ પુરી પહોંચ્યા, પરંતુ તે સમયે મંદિરમાં પ્રવેશ મેળવી શક્યા નહીં. પરિણામે, તેઓ મંદિરની બહાર જ રહ્યા અને સતત ભગવાન જગન્નાથનું સ્મરણ તથા તેમના ગુણગાન કરતા રહ્યા. ધીમે ધીમે તેમની ભક્તિ એટલી ગાઢ બની ગઈ કે તેઓ ભગવાન જગન્નાથના મહાન ભક્તોમાં ગણાવા લાગ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સૂર્ય ગોચરથી બન્યો અશુભ યોગ, આગામી 30 દિવસ આ રાશિના લોકો માટે વધી શકે છે મુશ્કેલીઓ
કહેવાય છે કે જીવનના અંતિમ તબક્કે સલાબેગની એકમાત્ર ઈચ્છા ભગવાન જગન્નાથના દર્શન કરવાની હતી. ભક્તોમાં પ્રચલિત એક લોકવાયકા મુજબ, ભગવાન જગન્નાથે સલાબેગને વચન આપ્યું હતું કે ભવિષ્યમાં રથયાત્રા આગળ વધતા પહેલા તેમના નિવાસસ્થાન પાસે થોભશે.
ADVERTISEMENT
(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.