બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ડીઝલ નહીં, વીજળી પણ નહીં, હવે હાઈડ્રોજનથી દોડી રહી છે ટ્રેન, કેટલી સુરક્ષિત છે ભારતની નવી ટેક્નોલોજી?

ભારત / ડીઝલ નહીં, વીજળી પણ નહીં, હવે હાઈડ્રોજનથી દોડી રહી છે ટ્રેન, કેટલી સુરક્ષિત છે ભારતની નવી ટેક્નોલોજી?

Kalpesh Kandoria

Last Updated: 04:08 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીઝલ નહીં, વીજળી નહીં... હવે ભારતની પાટા પર દોડશે એવી ટ્રેન, જેના એન્જિનમાંથી ધુમાડો નહીં પણ માત્ર પાણીની વરાળ નીકળશે. આ ટ્રેન કેવી રીતે ચાલે છે, એક વખત ફ્યુઅલ ભરાવ્યા પછી કેટલું અંતર કાપે છે અને દુનિયાના ગણતરીના દેશોમાં ભારત કેવી રીતે સામેલ થયું? દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન વિશે જાણો એવી રસપ્રદ માહિતી, જે ભવિષ્યની રેલયાત્રાની તસવીર બદલી શકે છે.

ભારતીય રેલવે આજે એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી તમે અને વીજળીથી ચાલતી ટ્રેનો જોઈ હશે, પરંતુ હવે દેશમાં એવી ટ્રેન દોડવા જઈ રહી છે, જે ડીઝલ નહીં બાળે, ધુમાડો નહીં છોડે અને માત્ર પાણીની વરાળ (Water Vapour) બહાર કાઢશે. 16 જુલાઈ એટલે કે આજે હરિયાણાના જીંદથી દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાઈ છે. આ સાથે ભારત વિશ્વના એવા ગણતરીના દેશોમાં સામેલ થયું છે, જ્યાં હાઇડ્રોજન આધારિત રેલ પરિવહન શરૂ થઈ ચૂક્યું છે.

આ ટ્રેન કેટલી ખાસ છે? હાઇડ્રોજનથી ટ્રેન ચાલે કેવી રીતે? એક વખત ફ્યુઅલ ભરાવ્યા પછી કેટલું અંતર કાપે છે? અને ભારતે આ ટેક્નોલોજી માટે જીંદ-સોનીપત રૂટ જ કેમ પસંદ કર્યો? ચાલો સરળ ભાષામાં સમજીએ...

સૌથી પહેલા સમજીએ, હાઇડ્રોજન ટ્રેન શું છે?

સામાન્ય ટ્રેનમાં ડીઝલ બળે છે અથવા વીજળીનો ઉપયોગ થાય છે. પરંતુ હાઇડ્રોજન ટ્રેનમાં Hydrogen Fuel Cell દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળીથી મોટર ચાલે છે અને ટ્રેન આગળ વધે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ કે ધુમાડો બહાર પડતો નથી. માત્ર પાણીની વરાળ, ગરમી, બહાર આવે છે. એટલે તેને દુનિયાની સૌથી સ્વચ્છ પરિવહન ટેક્નોલોજીમાં ગણવામાં આવે છે.

ભારત માટે આ સિદ્ધિ કેટલી મોટી?

હાઇડ્રોજન ટ્રેન શરૂ થતાં ભારત હવે જાપાન, જર્મની, અમેરિકા અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થશે. આ ટ્રેન માત્ર આયાતી ટેક્નોલોજી પર આધારિત નથી, પરંતુ 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં દેશના અનેક હેરિટેજ અને પહાડી રૂટ પર ડીઝલ ટ્રેનોની જગ્યાએ હાઇડ્રોજન ટ્રેનો દોડાવવાનો માર્ગ મોકળો કરશે.

ક્યારે શરૂ થયો હતો આ પ્રોજેક્ટ?

  • ભારતીય રેલવે પ્રથમ વખત 2020-21 દરમિયાન આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું.
  • ત્યારબાદ, 2022માં હૈદરાબાદની Medha Servo Drivesને ડીઝલ DEMUને હાઇડ્રોજન ટ્રેનમાં ફેરવવાનો કરાર મળ્યો.
  • કેનેડાની Ballard Power Systemsએ ફ્યુઅલ સેલ ટેક્નોલોજી પૂરી પાડી.
  • જીંદમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ બનાવવામાં આવ્યો.
  • ડિસેમ્બર 2025માં ટ્રેન તૈયાર થઈ.
  • મે 2026માં રેલવે બોર્ડે ઓપરેશન માટે મંજૂરી આપી.
  • જૂન 2026માં ટ્રેને 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે સફળ ટ્રાયલ પૂર્ણ કર્યો.

જીંદ-સોનીપત રૂટ જ કેમ પસંદ કરાયો?

રેલવે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ રૂટ અનેક કારણોસર સૌથી યોગ્ય માનવામાં આવ્યો. કારણ કે,

  • રૂટ નોન-ઇલેક્ટ્રિફાઇડ છે.
  • DEMU પહેલેથી ચાલતી હતી.
  • ટ્રેનનું ટેસ્ટિંગ સરળ બની શકે.
  • જીંદમાં હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવો સરળ હતો.
  • દિલ્હી નજીક હોવાથી મેન્ટેનન્સની સુવિધા ઉપલબ્ધ છે.

આ રૂટ પર ટ્રેન દરરોજ બે રાઉન્ડ ટ્રિપ કરીને લગભગ 356 કિલોમીટરનું અંતર કાપશે.

હાઇડ્રોજન ટ્રેન ચાલે કેવી રીતે?

આ ટ્રેનમાં 1200 kW Hydrogen Fuel Cell Propulsion System લગાવવામાં આવ્યું છે. તેની પ્રક્રિયા સરળ રીતે સમજીએ.

Step-1

ટ્રેનમાં સંગ્રહિત હાઇડ્રોજન ફ્યુઅલ સેલમાં પહોંચે છે.

Step-2

હવામાં રહેલા ઓક્સિજન સાથે હાઇડ્રોજનની કેમિકલ રિએક્શન થાય છે.

Step-3

આ પ્રક્રિયામાં વીજળી ઉત્પન્ન થાય છે.

Step-4

વીજળી ટ્રેનની મોટરને ચલાવે છે.

Step-5

બાય-પ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ બહાર આવે છે.

એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ધુમાડા કે ઝેરી વાયુઓનું ઉત્સર્જન થતું નથી.

હાઇડ્રોજન ક્યાં રાખવામાં આવે છે?

ટ્રેનમાં કુલ 440 કિલોગ્રામ હાઇડ્રોજન ભરવામાં આવશે. તેને કુલ 27 હાઇ-પ્રેશર સિલિન્ડરમાં ટ્રેનના આગળ અને પાછળના ભાગમાં સંગ્રહિત કરવામાં આવશે. જીંદ પ્લાન્ટમાં 1 MW ક્ષમતાના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ દ્વારા ઇલેક્ટ્રોલિસિસથી હાઇડ્રોજન તૈયાર થશે. અહીં લગભગ 3000 કિલોગ્રામ હાઇડ્રોજન સંગ્રહ કરવાની ક્ષમતા છે.

એક વખત ફ્યુઅલ ભરાવ્યા પછી કેટલું અંતર કાપશે?

રેલવેના જણાવ્યા પ્રમાણે એક વખત હાઇડ્રોજન ભરાવ્યા પછી ટ્રેન લગભગ 250 કિલોમીટર સુધી દોડી શકશે.

આ પણ વાંચો- કેનેડામાં જંગલની આગ વચ્ચે ફસાઈ માલગાડી, ભયાનક વીડિયો વાયરલ, ટ્રેન ક્રૂનો આબાદ બચાવ

સુરક્ષાની કેવી વ્યવસ્થા છે?

હાઇડ્રોજન જ્વલનશીલ ગેસ હોવાથી ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં

  • Hydrogen Leak Detector
  • Flame Detector
  • 24×7 Monitoring System
  • ટ્રેન્ડ સ્ટાફ
  • જર્મનીની કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય સેફ્ટી ઓડિટ

જેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

દરરોજ કેટલા મુસાફરોને સેવા મળશે?

ટ્રેન નંબર 74010 સવારે 7:40 વાગ્યે જીંદથી નીકળશે અને 9:40 વાગ્યે સોનીપત પહોંચશે. પરત ફરતી ટ્રેન 74009 સવારે 10:40 વાગ્યે સોનીપતથી નીકળશે અને બપોરે 1 વાગ્યે જીંદ પહોંચશે. દિવસમાં બે રાઉન્ડ ટ્રિપ દરમિયાન ટ્રેન લગભગ 356 કિલોમીટર, અંદાજે 2600 મુસાફરોને સેવા આપશે. માર્ગમાં ટ્રેન 12 સ્ટેશનો પર રોકાશે.

ભવિષ્યમાં ક્યાં દોડશે?

ભારતીય રેલવે 'Hydrogen for Heritage' યોજના હેઠળ કુલ 35 હાઇડ્રોજન ટ્રેનો શરૂ કરવાની યોજના ધરાવે છે. આ ટ્રેનો મુખ્યત્વે નીલગિરી, દાર્જિલિંગ, કાંગડા જેવા હેરિટેજ અને પહાડી રૂટ પર દોડાવવાની યોજના છે, જ્યાં ઇલેક્ટ્રિફિકેશન મુશ્કેલ અથવા ખર્ચાળ છે. દરેક ટ્રેન પાછળ અંદાજે ₹80 કરોડનો ખર્ચ થશે, જ્યારે દરેક રૂટ પર જરૂરી હાઇડ્રોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારાના ₹70 કરોડ ખર્ચાશે.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે?

ભારત દર વર્ષે કરોડો રૂપિયાનું આયાતી ઇંધણ ખરીદે છે. આવી સ્થિતિમાં હાઇડ્રોજન આધારિત ટ્રેનો ડીઝલ પરની નિર્ભરતા ઘટાડશે. કાર્બન ઉત્સર્જન ઓછું કરશે. નેટ-ઝીરો કાર્બન લક્ષ્યને ટેકો આપશે. ગ્રીન હાઇડ્રોજન મિશનને ગતિ આપશે. સ્વદેશી ટેક્નોલોજીને મજબૂત બનાવશે. જો જીંદ-સોનીપત રૂટ પરનો આ પાયલોટ સફળ રહેશે, તો આવનારા વર્ષોમાં દેશના અનેક રૂટ પર ધુમાડા વિનાની, પર્યાવરણમૈત્રી હાઇડ્રોજન ટ્રેનો દોડતી જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jind Sonipat Hydrogen Train Hydrogen Train India India's First Hydrogen Train
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ