બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રથયાત્રાની ખુશી વચ્ચે છવાયો શોકનો માહોલ, 'લક્ષ્મી' નામની હાથણીનું રહસ્યમય મોત
Last Updated: 05:25 PM, 16 July 2026
રથયાત્રાના પાવન અવસર પર એક કરુણ ઘટના સામે આવી છે. રથયાત્રામાં ભાગ લેવા માટે લાવવામાં આવેલી 'લક્ષ્મી' નામની હાથણીનું વહેલી સવારે અગમ્ય કારણોસર મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જે ગજરાજના આગમનથી રથયાત્રામાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ સર્જાયો હતો, તે જ ગજરાજના અચાનક નિધનથી આયોજકો અને ભાવિકો સ્તબ્ધ બની ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાથણીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં તંત્રે તપાસ શરૂ કરી છે અને મોત પાછળનું સાચું કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, 'લક્ષ્મી'ના નિધનથી ભાવિકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો- રથયાત્રામાં ગજરાજ સાથે અગાઉ ક્યારેય આવું નહોતુ થયુ, 18 ગજરાજ સામેલ, જાણો કેમ આવુ થયુ
ADVERTISEMENT
આયોજકોએ હાથણીની દફનવિધિ સન્માનપૂર્વક કરવાની તૈયારી હાથ ધરી છે. સાથે જ, જ્યાં ગજરાજની દફનવિધિ કરવામાં આવશે ત્યાં તેની યાદમાં ગણેશ મંદિર બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેથી 'લક્ષ્મી'ની સ્મૃતિ ચિરંજીવ રહી શકે.
ઉલ્લેખનીય છે કે દાહોદના લીંબડીમાં આજે 19મી રથયાત્રા યોજાઈ હતી, આ રથયાત્રાની શોભા વધારવા માટે ગજરાજ 'લક્ષ્મી'ને લાવવામાં આવી હતી, જેનું અજાણ્યા કારણસર નિધન થયું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.