બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રથયાત્રામાં ગજરાજ સાથે અગાઉ ક્યારેય આવું નહોતુ થયુ, 18 ગજરાજ સામેલ, જાણો કેમ આવુ થયુ

photo-story

5 ફોટો ગેલેરી

અમદાવાદ / રથયાત્રામાં ગજરાજ સાથે અગાઉ ક્યારેય આવું નહોતુ થયુ, 18 ગજરાજ સામેલ, જાણો કેમ આવુ થયુ

Last Updated: 02:51 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદમાં ધમાકેદાર રીતે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા ભક્તિ અને પરંપરા સાથે નીકળી છે,. જ્યાં 18 ગજરાજોને સુરક્ષિત રાખવા માટે નવી સ્માર્ટ વ્યવસ્થા અપનાવવામાં આવી હતી.

1/5

photoStories-logo

1. રથયાત્રા

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આ વખતે ભક્તિ, પરંપરા અને પ્રો-લેવલ સુરક્ષાના ત્રિવેણી સંગમ સાથે ધમાકેદાર રીતે નીકળી છે. જેમાં આ વર્ષે સૌથી વધુ હીટમાં છે 18 ગજરાજો અને તેમની સુરક્ષા માટે અપનાવેલી નવી સ્માર્ટ રણનીતિ. ગયા વર્ષે એક ગજરાજે થોડી બેકાબૂ મસ્તી કરી હતી આથી તે ઘટનાને યાદ કરીને આ વખતે ટ્રસ્ટે પૂરા ફેરફારો કરી નાખ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 18 ગજરાજો

રથયાત્રાના સૌથી આગળના સ્ટાર બની ગયા છે આ 18 ગજરાજો. અને ખાસ વાત તો એ છે કે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ તેમની સાથે અગ્રભાગમાં પગે ચાલતા જોવા મળ્યા હતા. પરંપરાગત સ્વાગત કાર્યક્રમોમાં રોકાયા વગર તેઓ સીધા રથ સાથે આગળ વધતા રહ્યા હતા. જેમાં સુરક્ષાની નવી સ્ટ્રેટેજી પણ કમાલની છે:

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કોઈ બેન્ડ-બાજા કે ફટાકડા નથી

અહીંયા ગજરાજોના પગમાં સુરક્ષાત્મક બેડી બાંધી છે. જેમાં અનુભવી મહાવતોની ટીમ 24×7 તેમની સાથે તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં આસપાસ કોઈ બેન્ડ-બાજા કે ફટાકડા નથી એટલે કે મોટા અવાજથી કોઈ ગજરાજ ગભરાય નહીં. અને સૌથી મહત્વનું એ હતું કે આ વખતે ગજરાજ પર મહાવત સિવાય બીજું કોઈ સવાર નથી!

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મંદિરના ટ્રસ્ટી

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ આ વખતે રથયાત્રામાં પગપાળા જોડાયા હતા, જેથી વાતાવરણમાં વધુ ભક્તિ અને નમ્રતાનો સ્પર્શ જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ગગનભેદી નારા

રસ્તાની બંને બાજુ ભક્તોની ભીડ એવી કે આંખે અજવાળા હોય! “જય જગન્નાથ!”ના ગગનભેદી નારા સાથે આખું અમદાવાદ ભક્તિમય બની ગયું હતું. રથયાત્રાના ભવ્ય દ્રશ્યો જોતાં લાગતું હતું કે આસ્થા અને પરંપરાનો સુંદર મેળાપ ફરી એક વાર જીવંત થયો છે.ટૂંકમાં આ વખતે રથયાત્રા સુરક્ષિ, ભવ્ય, ભક્તિમય એમ ત્રણે ય ફેક્ટર પર ફુલ માર્ક્સ મેળવી રહી છે!

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Gajraj Lord Jagannathji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ