બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:51 PM, 16 July 2026
1/5
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આ વખતે ભક્તિ, પરંપરા અને પ્રો-લેવલ સુરક્ષાના ત્રિવેણી સંગમ સાથે ધમાકેદાર રીતે નીકળી છે. જેમાં આ વર્ષે સૌથી વધુ હીટમાં છે 18 ગજરાજો અને તેમની સુરક્ષા માટે અપનાવેલી નવી સ્માર્ટ રણનીતિ. ગયા વર્ષે એક ગજરાજે થોડી બેકાબૂ મસ્તી કરી હતી આથી તે ઘટનાને યાદ કરીને આ વખતે ટ્રસ્ટે પૂરા ફેરફારો કરી નાખ્યા છે.
2/5
રથયાત્રાના સૌથી આગળના સ્ટાર બની ગયા છે આ 18 ગજરાજો. અને ખાસ વાત તો એ છે કે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ તેમની સાથે અગ્રભાગમાં પગે ચાલતા જોવા મળ્યા હતા. પરંપરાગત સ્વાગત કાર્યક્રમોમાં રોકાયા વગર તેઓ સીધા રથ સાથે આગળ વધતા રહ્યા હતા. જેમાં સુરક્ષાની નવી સ્ટ્રેટેજી પણ કમાલની છે:
3/5
અહીંયા ગજરાજોના પગમાં સુરક્ષાત્મક બેડી બાંધી છે. જેમાં અનુભવી મહાવતોની ટીમ 24×7 તેમની સાથે તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં આસપાસ કોઈ બેન્ડ-બાજા કે ફટાકડા નથી એટલે કે મોટા અવાજથી કોઈ ગજરાજ ગભરાય નહીં. અને સૌથી મહત્વનું એ હતું કે આ વખતે ગજરાજ પર મહાવત સિવાય બીજું કોઈ સવાર નથી!
4/5
5/5
રસ્તાની બંને બાજુ ભક્તોની ભીડ એવી કે આંખે અજવાળા હોય! “જય જગન્નાથ!”ના ગગનભેદી નારા સાથે આખું અમદાવાદ ભક્તિમય બની ગયું હતું. રથયાત્રાના ભવ્ય દ્રશ્યો જોતાં લાગતું હતું કે આસ્થા અને પરંપરાનો સુંદર મેળાપ ફરી એક વાર જીવંત થયો છે.ટૂંકમાં આ વખતે રથયાત્રા સુરક્ષિ, ભવ્ય, ભક્તિમય એમ ત્રણે ય ફેક્ટર પર ફુલ માર્ક્સ મેળવી રહી છે!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
Jagannath Rath Yatra / દેશભરમાં ભક્તિનો મહામેળો, અમદાવાદથી પુરી સુધી જગન્નાથજીની રથયાત્રામાં ઉમટ્યો જનસાગર
8 ફોટોઝ
જ્યોતિષશાસ્ત્ર / કર્ક સંક્રાંતિએ બદલાઈ સૂર્યની ચાલ, આ 3 રાશિના લોકો રહે સાવધાન