ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૃત્યુ પછીના 47 દિવસ સુધી આત્મા સાથે શું શું થાય? Garud Puranમાં છૂપાયેલાં છે રહસ્ય

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / મૃત્યુ પછીના 47 દિવસ સુધી આત્મા સાથે શું શું થાય? Garud Puranમાં છૂપાયેલાં છે રહસ્ય

Last Updated: 09:57 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા 47 દિવસની કઠિન યાત્રા કરીને યમલોક પહોંચે છે, જેમાં વૈતરણી નદી પાર કરવી પડે છે અને કર્મોના આધારે ફળ મળે છે. આ માન્યતાઓ આપણને સારા કર્મ કરવા અને જીવનના સાચા ઉદ્દેશ્ય વિશે વિચારવા પ્રેરે છે.

1/7

photoStories-logo

1. ગરુડ પુરાણ

મૃત્યુ આપણા જીવનનું અટલ સત્ય છે. આ પૃથ્વી પર જન્મ લેનારા દરેક વ્યક્તિને એક ન એક દિવસ આ સંસાર છોડીને જવું પડે છે. તો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની સાથે શું થાય છે? ગરુડ પુરાણમાં મૃત્યુ બાદ આત્માની યાત્રાનું વિસ્તૃત વર્ણન મળે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માને યમલોક સુધી પહોંચવા માટે કેવી પ્રકારની યાત્રામાંથી પસાર થવું પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મૃત્યુ બાદ શું?

ગરુડ પુરાણ મુજબ, એક વાર ભગવાન વિષ્ણુના વાહન ગરુડે તેમને પૂછ્યું કે મૃત્યુ બાદ જીવાત્મા સાથે શું થાય છે અને તે કેટલા સમય બાદ યમલોક પહોંચે છે. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને મૃત્યુ બાદ આત્માની યાત્રા વિશે જણાવ્યું. માન્યતા મુજબ, જ્યારે કોઈ જીવના મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે તેની અવાજ નબળી પડવા લાગે છે. અંતિમ સમયે તેને થોડા સમય માટે દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. આ અવસ્થામાં તે સંસારને અલગ રીતે જોવાનો અનુભવ કરે છે અને તેની ઇન્દ્રિયો ધીમે ધીમે શિથિલ પડવા લાગે છે. ત્યારબાદ મૃત્યુના સમયે યમરાજના દૂત ત્યાં આવે છે. માન્યતા છે કે તેમને જોઈને જીવાત્મા ભયભીત થઈ જાય છે અને શરીરનો ત્યાગ કરી દે છે. શરીરમાંથી નીકળ્યા બાદ યમદૂત જીવાત્માને પોતાની સાથે લઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પુણ્યાત્મા અને પાપી આત્માની યાત્રા

ગરુડ પુરાણની માન્યતાઓ મુજબ, જે જીવાત્મા પુણ્ય કર્મ કરે છે તેની યાત્રા અલગ હોય છે. જ્યારે પાપ કર્મ કરનારી આત્માને કઠિન માર્ગમાંથી પસાર થવું પડે છે. આવી આત્માને યમલોક પહોંચતા પહેલાં અનેક પ્રકારની યાતનાઓનો સામનો કરવો પડે છે. માન્યતા છે કે શરીર છોડ્યા પછી આત્માને પાછા તે જ ઘરમાં લાવવામાં આવે છે, જ્યાં તેને પોતાનું શરીર છોડ્યું હતું. આત્મા પોતાના શરીરમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે પણ તેમ કરી શકતી નથી. ત્યારબાદ તે પોતાના પરિવારને અંતિમ સંસ્કાર કરતા જુએ છે. આ કારણે હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ થતા કર્મકાંડો અને પિંડદાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ કર્મોથી મૃત વ્યક્તિની આત્માની આગળની યાત્રામાં સહાય મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મૃત્યુ પછી 13 દિવસ સુધી કર્મકાંડ કેમ કરવામાં આવે છે?

હિન્દુ પરંપરામાં મૃત્યુ બાદ 13 દિવસ સુધી અલગ-અલગ કર્મકાંડ કરવામાં આવે છે. ગરુડ પુરાણ સાથે જોડાયેલી માન્યતાઓ મુજબ આ કર્મો અને પિંડદાનથી મૃતકના સૂક્ષ્મ શરીરને આગળની યાત્રા માટે શક્તિ મળે છે. ત્યાર બાદ આત્માની યમલોકની યાત્રા શરૂ થાય છે. આ યાત્રામાં તેને અનેક પ્રકારના માર્ગો અને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વૈતરણી નદીને પાર કરવી પડે છે

ગરુડ પુરાણમાં વૈતરણી નદીનું પણ વર્ણન મળે છે. ધાર્મિક માન્યતા મુજબ આ નદી યમલોકની યાત્રામાં આવનારી સૌથી કઠિન અડચણોમાંની એક છે. કહેવાય છે કે વૈતરણી નદી ખુબ ભયાનક હોય છે અને તેને પાર કરવું સરળ નથી. માન્યતા છે કે જેને પોતાના જીવનમાં ગૌસેવા કે ગાય સાથે જોડાયેલા પુણ્ય કર્મ કર્યા હોય તેને આ નદી પાર કરવામાં સહાય મળે છે. જ્યારે પાપ કર્મ કરનારી આત્માને તેને પાર કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ધાર્મિક ગ્રંથોમાં વૈતરણી નદીને ખુબ ભયાનક રૂપમાં વર્ણવવામાં આવી છે. માન્યતા મુજબ તેને પાર કર્યા બાદ આત્મા આગળની યાત્રા કરતી યમલોક પહોંચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. યમલોક પહોંચ્યા બાદ શું થાય છે?

ગરુડ પુરાણની માન્યતાઓ મુજબ, યમલોક પહોંચ્યા બાદ જીવાત્માના કર્મોનું લેખા-જોખા જોવામાં આવે છે. વ્યક્તિએ જીવનમાં કેવા પ્રકારના કર્મ કર્યા છે તેના આધારે તેને આગળનું ફળ મળે છે. તેથી હિન્દુ ધર્મમાં સારા કર્મ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. માન્યતા છે કે મૃત્યુ બાદ મનુષ્ય સાથે તેનું ધન, સંબંધો કે સાંસારિક વસ્તુઓ નથી જતી. તેના કર્મ જ તેની સાથે જાય છે.તેથી જીવનમાં ગમે તેટલી કઠિન પરિસ્થિતિઓ હોય, આપણે હંમેશા સારા કર્મ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી આવી અનેક ગૂઢ વાતો કહેવામાં આવી છે જે મનુષ્યને પોતાના કર્મો અને જીવનના ઉદ્દેશ્ય વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yamaloka Garuda Purana Death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ