ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:27 PM, 15 September 2026
1/5
દર વર્ષે 17 સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માનું પવિત્ર પર્વ મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેમને દેવતાઓના મુખ્ય શિલ્પકાર, વાસ્તુકાર અને નિર્માણકર્તા તરીકે જાણીતા છે. આ દિવસે કારખાનાઓ, વર્કશોપ, દુકાનો અને કાર્યસ્થળોમાં મશીનો, ઓજારો, વાહનો અને બીજા સાધનોની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ પૂજા પાછળ ગહન ધાર્મિક માન્યતા છુપાયેલી છે.
2/5
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિશ્વકર્માએ સોનાની લંકા, ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી, ઇન્દ્રની પુરી અને પુષ્પક વિમાન જેવા અદ્ભુત અને દિવ્ય નિર્માણ કર્યા હતા. આ કારણે મશીનો, ઓજારો અને તમામ સાધનોને તેમની સર્જનશક્તિ સાથે જોડીને જોવામાં આવે છે. વિશ્વકર્મા પૂજા દરમિયાન આ વસ્તુઓની પૂજા કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે, કાર્યસ્થળ પર સકારાત્મક ઊર્જા બની રહે છે અને વ્યવસાયમાં સફળતા તેમજ તરક્કીના માર્ગ ખુલે છે.
ADVERTISEMENT
3/5
સવારે સ્નાન કરીને પહેલા સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરો. પછી દુકાન, કારખાનું કે કાર્યસ્થળની સંપૂર્ણ સફાઈ કરો. મશીનો, ઓજારો અને વાહનોને સારી રીતે સાફ કરીને ભગવાન વિશ્વકર્માની પ્રતિમા કે છબી સ્થાપિત કરો. હળદર, કુંકુમ, ચંદન અને તાજા ફૂલો અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો અને ફળ તેમજ મીઠાઈનો ભોગ ધરાવો.
4/5
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ