ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સપનામાં પૂર્વજો રડતા કે ચૂપચાપ બેઠેલા જોવા મળે તો શું મતલબ થાય? જાણો પિતૃપક્ષના ઉપાય

photo-story

6 ફોટો ગેલેરી

માન્યતા / સપનામાં પૂર્વજો રડતા કે ચૂપચાપ બેઠેલા જોવા મળે તો શું મતલબ થાય? જાણો પિતૃપક્ષના ઉપાય

Last Updated: 10:11 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પિતૃપક્ષમાં સપનામાં પૂર્વજોને રડતા કે ચુપચાપ જોવું તેમની નારાજગી કે અધૂરી ઇચ્છાનો સંકેત માનવામાં આવે છે. આવા સમયે શ્રાદ્ધ, તર્પણ અને દાન કરીને પૂર્વજોની શાંતિ માટે પ્રયાસ કરવો જોઈએ.

1/6

photoStories-logo

1. પિતૃપક્ષ

પિતૃપક્ષને હિન્દુ ધર્મમાં પૂર્વજોના સ્મરણ અને તેમના પ્રત્યે ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરવાનો મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. આ પવિત્ર અવધિમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન અને દાન જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ સમયે ઘણી વખત પિતૃઓ સપનામાં દેખાઈ શકે છે. ખાસ કરીને જો સપનામાં પૂર્વજો રડતા, પરેશાન કે ચુપચાપ નજરે આવે તો તેને લઈને અલગ-અલગ માન્યતાઓ પ્રચલિત છે. સ્વપ્ન શાસ્ત્રમાં આવા સપનાને કેવી રીતે સમજવામાં આવે છે અને આ સમયે કયા ઉપાય કરી શકાય તે વિશે વિગતે અહીંયા જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 2026માં પિતૃપક્ષ ક્યારથી શરૂ થશે?

વર્ષ 2026માં પિતૃપક્ષ ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થઈને 10 ઑક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યા સાથે પૂરો થશે. આ સમયમાં લોકો પોતાના પૂર્વજોની શાંતિ અને તૃપ્તિ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાનના કાર્યો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સપનામાં પૂર્વજોને રડતા જોવું

સ્વપ્ન શાસ્ત્રની માન્યતાઓમાં પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને રડતા જોવું શુભ માનવામાં આવતું નથી. તેને પૂર્વજોની નારાજગી અથવા કોઈ અધૂરી ઇચ્છા સાથે જોડીને જોવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂર્વજોના નિમિત્તે કરવામાં આવતા ધાર્મિક કર્મો પર વિશેષ ધ્યાન આપવાની માન્યતા છે, જેથી તેમની આત્મા શાંત થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચુપચાપ દેખાય પૂર્વજો તો શું સમજવું

જો સપનામાં પૂર્વજો કંઈ બોલ્યા વગર શાંત, ઉદાસ કે મૌન રહીને દેખાય, તો ધાર્મિક માન્યતાઓ મુજબ તેને કોઈ મહત્વની વાત તરફ ધ્યાન દોરનારો સંકેત માનવામાં આવે છે. જોકે આવા સપના આવવાનું કારણ વ્યક્તિની જૂની યાદો, ભાવનાઓ કે માનસિક સ્થિતિ પણ હોઈ શકે છે. તેથી તેને સમજીને યોગ્ય પગલાં ભરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સપનું આવે તો કરો આ ઉપાય

આવું સપનું આવ્યા પર ઘબરાવાને બદલે પૂર્વજોનું શ્રદ્ધાપૂર્વક અને હૃદયપૂર્વક સ્મરણ કરો. પિતૃપક્ષમાં પરિવારની પરંપરા મુજબ શ્રાદ્ધ અને તર્પણના કર્મો કરો. પૂર્વજોના નામે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું પણ ધાર્મિક રીતે ખુબ શુભ માનવામાં આવે છે. આથી પૂર્વજોની આત્મા તૃપ્ત થાય અને પરિવારને આશીર્વાદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ancestors Hinduism Pitru Paksha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ