ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'કરોડપતિ બાપ્પા'ના દર્શન માટે ભક્તોની પડાપડી, ડાયમંડને લઈ માલિકોમાં ચિંતા વધી

સુરત / 'કરોડપતિ બાપ્પા'ના દર્શન માટે ભક્તોની પડાપડી, ડાયમંડને લઈ માલિકોમાં ચિંતા વધી

Published By: Vishal Khamar

Last Updated: 03:35 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કુદરતી રીતે ગણેશના આકારમાં બનેલા દુર્લભ રફ હીરા ગણેશોત્સવ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 27.74 કેરેટના હીરાના માત્ર એક દિવસ દર્શન કરાવવામાં આવશે.

ADVERTISEMENT

ભગવાન ગણેશના આકારમાં કુદરતી રીતે બનેલા દુર્લભ રફ હીરા, હીરા વેપારીઓમાં ‘કરોડપતિ બાપા’ તરીકે જાણીતા છે. સુરતમાં ગણેશોત્સવ દરમિયાન આ અનોખા હીરાનાં દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે. જોકે, હીરાની ઊંચી કિંમતને ધ્યાનમાં રાખીને માલિકોએ જાહેર દર્શન મર્યાદિત રાખવાની સાથે તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા ગોઠવી છે.

પરંપરાગત ગણેશ મૂર્તિઓની જેમ ગણેશોત્સવના અંતે આ કુદરતી રીતે બનેલા રફ હીરાનું વિસર્જન કરવામાં આવતું નથી. તેઓ આખું વર્ષ તેમના માલિકો પાસે જ સુરક્ષિત રહે છે. વર્ષો સુધી હીરાના વેપારમાં રહ્યા બાદ આવા દુર્લભ હીરા મેળવનારા વેપારીઓ તેમની ઊંચી કિંમતને કારણે તેમને અજ્ઞાત સ્થળે અને હાઇ-સિક્યોરિટી વૉલ્ટમાં રાખે છે.

હીરાના વેપારી રાજેશ પાંડવની માલિકીનો ૨૭.૭૪ કેરેટનો ગણેશાકાર હીરો આ વર્ષે માત્ર એક જ દિવસ દર્શન માટે મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હું આ હીરાને માત્ર ૧૭ સપ્ટેમ્બરે દર્શન માટે મૂકી રહ્યો છું. અન્ય દિવસોમાં તેને દર્શન માટે મૂકવામાં નહીં આવે, જેથી તમામ દસ દિવસ માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂર ન પડે. આ વર્ષે તેમણે ગણેશોત્સવના સમગ્ર દસ દિવસના બદલે દર્શનનો સમયગાળો ઘટાડીને માત્ર એક દિવસ કર્યો છે.

દુર્લભ રત્નો અને હીરાના વેપારી કનુ આસોદરિયા પણ કુદરતી રીતે ગણેશના આકારમાં બનેલા ત્રણ રફ હીરાના મર્યાદિત સંખ્યામાં મુલાકાતીઓને દર્શન કરાવશે. તેમણે જણાવ્યું છે કે સુરક્ષાના કારણોસર મર્યાદિત લોકોને અને મર્યાદિત સમય માટે જ દર્શન કરાવવામાં આવશે. મોટા કદથી લઈને મધ્યમ અને પ્રમાણમાં નાના કદ સુધીના આ પ્રકારના કુદરતી હીરા અત્યંત દુર્લભ છે. તેમના સંગ્રહમાં ગણેશાકાર રફ હીરા પૈકી ૧૮૨.૫૩ કેરેટ, ૨૬.૫૩ કેરેટ અને ૮.૦૧ કેરેટના હીરાનો સમાવેશ થાય છે.

પાંડવનો ૨૭.૭૪ કેરેટનો હીરો સીસીટીવી કેમેરાની નજર હેઠળ લોકરમાં રાખવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન હીરાની સુરક્ષા અને મુલાકાતીઓના સંચાલન માટે વધારાના સુરક્ષા કર્મચારીઓ તથા એટેન્ડન્ટ્સ તહેનાત કરવામાં આવે છે.

અાસોદરિયા સુરક્ષાના કારણોસર આ ત્રણેય હીરા જ્યાં રાખવામાં આવે છે તે સ્થળમાં નિયમિતપણે ફેરફાર કરતા રહે છે. એક જ સ્થળે તેમને કાયમી ધોરણે રાખવાને બદલે સમયાંતરે તેમનું સ્થાન બદલવામાં આવે છે.

આ પણ વાંચોઃ પ્રદેશ કોંગ્રેસ Vs જિલ્લા કોંગ્રેસ! ગુલાબસિંહની ટીમ રદ થતા બનાસકાંઠા કોંગ્રેસમાં ઉકળતો ચરુ!

જાહેર દર્શન માટે સુરક્ષા વ્યવસ્થા જાળવવી પડકારરૂપ અસોદરિયાએ જણાવ્યું હતું, “આ હીરા તેમના અનોખા આકારને કારણે અત્યંત મૂલ્યવાન છે અને તેથી તેમની વધારાની કાળજી લેવી પડે છે. હું દર થોડા દિવસે આ હીરા રાખવાનું સ્થળ બદલી નાખું છું.”પાંડવે જણાવ્યું હતું કે વર્ષો વીતતાં હીરાને જાહેર દર્શન માટે મૂકતી વખતે સુરક્ષા જાળવવી વધુને વધુ પડકારજનક બની રહી છે. પોતાના હીરાના સંગ્રહની સુરક્ષા માટે અસોદરિયાએ સીસીટીવી રેકોર્ડિંગ સિસ્ટમના ત્રણ સ્તર ગોઠવ્યા છે. આ કેમેરા તમામ દિશાઓને આવરી લે છે અને તેનું ફૂટેજ અલગ-અલગ ફોર્મેટ તથા સ્થળોએ સંગ્રહિત કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crorepati Bapa diamond Ganesha diamond Surat natural Ganesha-shaped diamond

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ