ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / તણાવ થશે દૂર? નીમ કરોલી બાબાના 4 નિયમો બદલી શકે તમારી વિચારસરણી

photo-story

5 ફોટો ગેલેરી

જીવન મંત્ર / તણાવ થશે દૂર? નીમ કરોલી બાબાના 4 નિયમો બદલી શકે તમારી વિચારસરણી

Last Updated: 11:56 AM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Neem Karoli Baba jivan mantra: શું તમે તણાવ અને મૂંઝવણમાંથી રાહત મેળવવા માંગો છો? નીમ કરોલી બાબાના એ ચાર સુવર્ણ નિયમો વિશે જાણો જેમણે સ્ટીવ જોબ્સ અને ઝુકરબર્ગને પ્રેરણા આપી હતી અને જે તમારી માનસિકતામાં પરિવર્તન લાવી દેશે.

1/5

photoStories-logo

1. માર્ગદર્શન આપનાર નીમ કરોલી બાબા

આજના ઝડપી અને ભાગદોડભર્યા જીવનમાં જ્યાં લોકો તણાવ, અવિશ્વાસ અને એકલતાનો સામનો કરી રહ્યા છે, ત્યાં માનસિક શાંતિ અને સાચો માર્ગ શોધવો એ એક મોટો પડકાર બની ગયો છે. સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવી વૈશ્વિક હસ્તીઓને માર્ગદર્શન આપનાર નીમ કરોલી બાબાએ જીવન જીવવા માટે કોઈ જટિલ દર્શન નથી આપ્યા. તેના બદલે, તેમણે અત્યંત સરળ એવા ચાર સિદ્ધાંતો આપ્યા હતા. જો આ ચાર સિદ્ધાંતોને જીવનમાં અપનાવવામાં આવે, તો તે વ્યક્તિનું જીવન બદલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કોઇ શરત વિના પ્રેમ

"हर इंसान से प्रेम करो, नफरत का बोझ मत उठाओ." બાબા નીમ કરોલીના અનુસાર, સાચો પ્રેમ માત્ર પોતાના પ્રિયજનો પૂરતો જ સીમિત ન હોવો જોઈએ. તેનો અર્થ છે દરેક મનુષ્ય માટે હૃદયમાં કરુણા અને માનવતાની ભાવના રાખવી. ભલે તમારા વિચારો અલગ હોય અથવા તમે કોઈ વ્યક્તિથી અંતર રાખવાનું પસંદ કરો, પરંતુ મનમાં દુશ્મનાવટ અને કડવાશ રાખવાથી માત્ર તમને જ નુકસાન થાય છે. નફરતનો ત્યાગ કરવો એ અન્ય લોકો માટે નહીં, પરંતુ તમારી પોતાની માનસિક શાંતિ માટે અત્યંત આવશ્યક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. નિસ્વાર્થ સેવા જ અસલી સાધના છે

"सेवा के बिना प्रेम अधूरा है." વિચારવું સરળ છે, પરંતુ વિચારને કાર્યમાં પરિણત કરવો એ જ સાચી કસોટી છે. બાબા માનતા હતા કે સેવા માટે પુષ્કળ ધન કે વિશાળ સંસાધનોની જરૂર હોતી નથી. ભૂખ્યાને ભોજન કરાવવું, દુઃખી વ્યક્તિની વાત સાંભળવી,અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિનો હાથ પકડવો- મદદનાં આ નાના કાર્યો જ ઈશ્વરની સાચી ઉપાસના છે. અન્યનું જીવન સરળ બનાવવું એ જ આધ્યાત્મિક પ્રગતિનો સાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દરેક સ્થિતિમાં ઇશ્વરને યાદ રાખવુ

"चाहे सुख हो या दुख, उस परमात्मा का ध्यान न छूटे." જ્યારે જીવનમાં બધું સારું ચાલતું હોય છે ત્યારે આપણે અહંકારી બની જઈએ છીએ, અને જ્યારે મુશ્કેલ સમય આવે છે ત્યારે આપણે હતાશામાં ડૂબી જઈએ છીએ. બાબાની શીખ આપણને યાદ અપાવે છે કે પરિસ્થિતિઓ તો બદલાતી રહે છે, પરંતુ ઈશ્વરનું ચિંતન મનને દરેક સમયે સ્થિર અને શાંત રાખે છે. તે આપણને દરેક પરિસ્થિતિમાં નમ્ર રહેવાનું શીખવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સત્યના રસ્તા પર ચાલવુ

सच बोलना केवल नैतिकता नहीं, मन की शांति की चाबी है." ખોટું બોલવાથી સત્ય પકડાઈ જવાનો સતત ભય રહે છે, જે વ્યક્તિની માનસિક શાંતિ છીનવી લે છે. સત્ય બોલવાથી મન હળવું, નિર્મળ અને નિર્ભય રહે છે. નીમ કરોલી બાબા કહે છે કે, સત્યવાદી વ્યક્તિનું આચરણ જ તેમની સૌથી મોટી શક્તિ બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

neem karoli baba 4 rules for peaceful life jivan mantra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ