ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતની 70 ખાનગી બી.એડ. કોલેજો હવે સરકારના રડાર પર, જાણો કેમ?

ગીર સોમનાથ / ગુજરાતની 70 ખાનગી બી.એડ. કોલેજો હવે સરકારના રડાર પર, જાણો કેમ?

Published By: Vishal Khamar

Last Updated: 02:30 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની આશરે 70 ખાનગી B.Ed કોલેજોમાં NCTE મંજૂરી સંબંધિત સંભવિત નિયમભંગ સામે આવ્યા છે. લગભગ 8,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર.

ADVERTISEMENT

ગીર સોમનાથ જિલ્લામાં આવેલી એક બી.એડ. કોલેજમાં ગેરરીતિની ફરિયાદો અંગે હાથ ધરાયેલી તપાસમાં રાજ્યની આશરે ૭૦ ખાનગી બી.એડ. કોલેજોમાં નિયમોના સંભવિત ભંગ સામે આવ્યા છે.

આ સંસ્થાઓ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (એનસીટીઈ)ની માન્ય મંજૂરી વિના ચાલતી હોવાનું સામે આવતાં સરકારની તપાસના દાયરામાં આવી છે. યુનિવર્સિટી સાથે જોડાણ અને વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એનસીટીઈની મંજૂરી ફરજિયાત છે. આ કોલેજોમાં આશરે ૮,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશનના કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે રાજ્યમાં કુલ ૩૬૬ બી.એડ. કોલેજો છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એનસીટીઈએ કેટલીક ખાનગી બી.એડ. કોલેજોને મંજૂરી આપી હતી અને તેમને કાઉન્સિલ સમક્ષ ચકાસણી તથા પુષ્ટિના અહેવાલો રજૂ કરવા જણાવાયું હતું. એનસીટીઈ પોર્ટલ પર ૨૯૬ કોલેજોના રિપોર્ટ ઉપલબ્ધ છે, જ્યારે આશરે ૭૦ ખાનગી કોલેજો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.

આ તપાસની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આવેલી વનિતાબહેન બચુભાઈ નંદોલા બી.એડ. કોલેજની મંજૂરીમાં સામે આવેલી અનિયમિતતાઓ બાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણાએ સંસ્થાઓને પત્ર લખીને પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા અને બાકી રહેલા અહેવાલો તાત્કાલિક રજૂ કરવા નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે આ મામલો કોલેજો અને યુનિવર્સિટીઓ વચ્ચેના જોડાણની પ્રક્રિયા પર પણ સવાલ ઊભો કરી શકે છે.

સેલ્ફ-ફાઇનાન્સ્ડ બી.એડ., એમ.એડ. કોલેજ મેનેજમેન્ટ એસોસિયેશનના સચિવ દિલીપ ચૌધરીએ જણાવ્યું કે માત્ર ફરજિયાત એનસીટીઈ મંજૂરી ધરાવતી કોલેજોને જ યુનિવર્સિટી સાથે જોડાણ આપી શકાય. યુનિવર્સિટીઓ પાસે પણ સ્થાનિક તપાસ સમિતિ હોય છે, જે કોલેજોની મુલાકાત લઈને સંસ્થાઓ તમામ નિયમનકારી માપદંડનું પાલન કરે છે કે નહીં તેની ખાતરી કરે છે. જો કોઈ યુનિવર્સિટીએ માન્ય એનસીટીઈ મંજૂરી છે કે નહીં તેની ચકાસણી કર્યા વિના બી.એડ. કોલેજને જોડાણ આપ્યું હોય તો યુનિવર્સિટી પણ એટલી જ જવાબદાર ગણાઈ શકે.

આ પણ વાંચોઃ ડેન્ગ્યુ-સ્વાઈન ફ્લૂના કેસમાં ઉછાળો થતા જ હોસ્પિટલોમાં વધી દર્દીઓની દોડધામ

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના પ્રવેશ બાદ સરકારની પ્રાથમિકતા હવે કોલેજો બાકી રહેલી તમામ ઔપચારિકતાઓ વિલંબ વિના પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાની છે. આ મામલે સરકાર કડક વલણ અપનાવી રહી છે, કારણ કે આશરે ૮,૦૦૦ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NCTE approval Gujarat B.Ed colleges private B.Ed colleges Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ