ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોંઘા MD ડ્રગ્સ-ગાંજાની જરૂર નહીં, માત્ર રૂ.25ની ‘લાલ પરી’ બની નશાખોરોનો નવો વિકલ્પ
Last Updated: 01:42 PM, 15 September 2026
ADVERTISEMENT
નશો કરવા માટે હવે મોંઘા એમડી ડ્રગ્સ, ગાંજો કે ચરસની જ જરૂર નથી રહી. માત્ર રપ રૂપિયાની આસપાસ મળતી એક દવા પણ નશાના નવા વિકલ્પ તરીકે ચર્ચામાં છે. લાલ પરી તરીકે ઓળખાતી લોરાઝેપામ દવાનાે નશા માટે ઉપયોગ થતો હોવાની ચિંતા સામે આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ દવાનો ઉપયોગ વધી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે સૌથી ગંભીર સવાલ એ છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આ દવા મેડિકલ સ્ટોર પરથી કેવી રીતે મળી રહી છે? જે દવા બીમારીની સારવાર માટે બનાવવામાં આવી છે, તે જ દવા યુવાનો માટે નશાનું સાધન બની રહી હોય તો તેની અસર માત્ર વ્યક્તિના સ્વાસ્થ્ય સુધી સીમિત રહેતી નથી. દવાનો બિનજરૂરી ઉપયોગ, તેની ઉપલબ્ધતા અને નશા માટે તેનો ઉપયોગ કરનારાઓ સુધી પહોંચતી સપ્લાય ચેઇન પોલીસ તથા આરોગ્ય વિભાગ માટે તપાસનો વિષય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
લોરાઝેપામ (Lorazepam) બેન્ઝોડાયઝેપિન વર્ગની દવા છે. તેનો ઉપયોગ ડોક્ટરની સલાહથી ચિંતા, ગંભીર બેચેની અને કેટલીક અન્ય તબીબી સ્થિતિમાં થાય છે. આ દવા મગજમાં જીએબીએ નામના રસાયણની અસર વધારે છે. જીએબીએ મગજની પ્રવૃત્તિ ધીમી કરવામાં મદદ કરે છે, પરિણામે વ્યક્તિને શાંતિ, સુસ્તી અને ઊંઘનો અનુભવ થઈ શકે છે. નશા માટે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે, જોકે દરેક વ્યક્તિને એકસરખી અસર થાય એવું નથી. કોઈને વધુ ઊંઘ આવે, કોઈને ચક્કર કે મૂંઝવણ થાય તો કોઈની યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડી શકે છે. દવા લીધા પછી વ્યક્તિનું શરીર અને મગજ સામાન્ય રીતે કામ ન કરે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
નશાખોરોમાં એનર્જી ડ્રિન્ક સાથે દવા લેવાની ચર્ચા છે. એનર્જી ડ્રિન્કમાં રહેલું કેફીન ઊંઘ ઓછી આવતી હોવાનો અનુભવ કરાવી શકે છે, પરંતુ તે લોરાઝેપામની અસરને દૂર કરતું નથી. દવા અને એનર્જી ડ્રિન્કનું મિશ્રણ નશો વધુ કરાવે છે લોરાઝેપામનું દારૂ, ઊંઘની અન્ય દવાઓ કે શામક પદાર્થો સાથે સેવન થાય તો વધુ પડતી ઊંઘ, બેભાન થવું અને શ્વાસ ધીમો પડવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી આ દવાનો નશા માટે ઉપયોગ કરવો જીવલેણ પણ બની શકે છે. ઝોન-૬ના ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચનાર મેિડકલ સ્ટોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને સંબંિધત તંત્રને જાણ પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોરાઝેપામ જેવી દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને તબીબી દેખરેખ હેઠળ જ લેવાની હોય છે. તેમ છતાં પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર પરથી દવા મળી જતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જો આ રીતે વેચાણ થતું હોય તો તે ગંભીર બાબત છે. આરોગ્ય વિભાગે મેડિકલ સ્ટોર પર તપાસ કરી દવાના વેચાણના રેકોર્ડ, પ્રિસ્ક્રિપ્શન અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : શિલજ અકસ્માતમાં પત્ની ગુમાવનાર પતિની આજીજી, ‘આરોપીને પકડી કડક કાર્યવાહી કરો’
લોરાઝેપામનો વારંવાર બિનજરૂરી ઉપયોગ કરવાથી શરીરને દવાની આદત પડી શકે છે. સમય જતાં દવા વગર રહેવું મુશ્કેલ લાગવું, બેચેની થવી અને ઊંઘમાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દવા અચાનક બંધ કરવાથી પણ ગંભીર તકલીફો થઈ શકે છે. તેથી લાંબા સમયથી દવા લેતા લોકો ડોક્ટરની સલાહ વિના તેને બંધ ન કરે. દવા લીધા પછી વ્યક્તિને જગાડવામાં મુશ્કેલી પડે, શ્વાસ ધીમો થઈ જાય અથવા બેભાન થઈ જાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.