બોલિવૂડની મશહૂર એક્ટ્રેસ વિદ્યા સિંહાનું 72 વર્ષની વયે નિધન થયું છે. વિદ્યાએ મુંબઈના જુહુની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. 15મી ઓગસ્ટને ગુરૂવારે બપોરે 12 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે.
વિદ્યાની પ્રખ્યાત ફિલ્મો
‘છોટી સી બાત’, ‘તુમ્હારે લિયે’, ‘પતિ પત્ની ઓર વો’,‘ સ્વયંવર’, ‘મુક્તિ’ જેવી પ્રખ્યાત ફિલ્મોમાં લીડ હિરોઈન તરીકે રોલ ભજવ્યા હતાં. આ ઉપરાંત વિદ્યાએ લોકપ્રિય ટીવી સિરિયલ ‘કાવ્યાંજલિ’, ‘કૂબૂલ હૈં’, ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં પણ કામ કર્યું હતું.
લાંબા સમયથી બિમાર હતી વિદ્યા
હોસ્પિટલના રિપોર્ટ્સ મુજબ વિદ્યા સિંહા ફેફસા અને કાર્ડિયેક ડિસઓર્ડરની બિમારી હતી. તેણીને છેલ્લા કેટલાંક વર્ષોથી ફેફસાં પાણી ભરાઈ જતું હતું. ગયા અઠવાડિયે વધુ બિમારીને કારણે વેન્ટિલેટર પર રખાઈ હતી. ICUમાં વેન્ટિલેટર પર જ તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા.
2009માં પતિ વિરુદ્ધ FIR કરી હતી
વિદ્યાએ તેમની રીલ લાઈફ સિવાય રિયલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહી હતી. તેણીએ 2009માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે તેના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ બાદ બંનેએ છુટાછેડા પણ લીધા હતા.