બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરે સોલાર પેનલ લગાવવા સરકાર આપે છે 78000 રૂપિયાની સબસિડી, આ રીતે કરો અરજી

તમારા કામનું / ઘરે સોલાર પેનલ લગાવવા સરકાર આપે છે 78000 રૂપિયાની સબસિડી, આ રીતે કરો અરજી

Last Updated: 05:12 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Suyra Ghar Bijli Yojana: તમે કાળઝાળ ગરમીમાં વધતા વીજળીના બિલથી પરેશાન છો. તો સરકારની આ યોજના દ્વારા તમે સબસિડી પર સોલાર પેનલ લગાવી શકો છો.

PM Suyra Ghar Bijli Yojana: તમે કાળઝાળ ગરમીમાં વધતા વીજળીના બિલથી પરેશાન છો. તો સરકારની આ યોજના દ્વારા તમે સબસિડી પર સોલાર પેનલ લગાવી શકો છો. દેશમાં ઉનાળાની ગરમી સાથે બફારાથી લોકો પરસેવે રેબજેબ જોવા મળી રહ્યા છે. સૂર્યના તેજ તાપ અને અને વધતા તાપમાને લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગરમીથી બચવા માટે લોકો ઘણા ઉપકરણોનો ઉપયોગ કરે છે. જેમાં કુલર અને એસીનો ઘણો ઉપયોગ થાય છે.

આના કારણે લોકોના ઘરનું વીજળી બિલ પણ ઘણું વધી જાય છે. પરંતુ જ્યાં ઉનાળામાં સૂર્યનો સૂર્યપ્રકાશ તમને પરેશાન કરે છે. તે તમારા વીજળી બિલને પણ ઘટાડી શકે છે. તમે સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકો છો.

આટલું જ નહીં જો તમે ઘરે સોલાર પેનલ લગાવો છો. તો સરકાર દ્વારા તમને આ માટે સબસિડી પણ આપવામાં આવે છે. જો તમે પણ વધતા વીજળી બિલથી પરેશાન છો. તો સરકારની આ યોજના દ્વારા તમે સબસિડી પર સોલાર પેનલ લગાવી શકો છો.

solar-panel-4

તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા આ માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના ચલાવવામાં આવે છે. જેના હેઠળ તમને મોમાઇ સોલાર પેનલ લગાવવા પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અલગ અલગ વોટના સોલાર પેનલ લગાવવા માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in/#/ ની મુલાકાત લેવી પડશે. ત્યાં જઈને નોંધણી કરાવીને યોજના માટે અરજી કરવી પડશે.

Vtv App Promotion 2

તમને જણાવી દઈએ કે આ યોજનામાં એક કિલોવોટના સોલાર પેનલ લગાવવા માટે 30000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. બીજી તરફ, 2 થી 3 કિલોવોટના સોલાર પેનલ લગાવવા માટે 60000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. 3 કિલોવોટથી વધુ સોલાર પેનલ લગાવવા માટે 78000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ તમારા કામનું / EMIમાં ક્રેડિટ કાર્ડથી કરો છો ખરીદી? તો ભૂલથી પણ આ 3 બાબતોને નજર અંદાજ ન કરતા

યોજનામાં અરજી કર્યા પછી તમને મંજૂરી મળે છે. ત્યારબાદ તમારે વિક્રેતા પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ સોલાર પેનલ લગાવવામાં આવે છે. ત્યારબાદ વીજળી કંપની દ્વારા તમારા સ્થાને ચકાસણી કરવામાં આવે છે. આ પછી સબસિડી તમારા ખાતામાં મોકલવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Surya Ghar Yojana Utility News Solar Panel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ