બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / upside down If you have a habit of wearing t-shoes then correct it otherwise poverty may come into the house
Last Updated: 03:20 PM, 18 April 2024
આજકાલ તો ઘણા લોકો પોતાના જ ઘરની બહાર ઊંધા બૂટ-ચંપલને મુકવાની ભૂલ કરે છે. આ ભૂલ અજાણતામાં જ તમને સમસ્યામાં મૂકી શકે છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શનિનો પ્રભાવ વધારે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી કરે છે. ચાલો જાણીએ આ વિશે..
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુને તેના નિર્ધારિત જગ્યાએ જ હોવી જોઈએ.એવામાં બૂટ-ચંપલને ઊંધી દિશામાં અને ઊંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. જેથી ઘરમાં ઝઘડો, કેસ ટ્રાયલ, આર્થિક સંકટ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ પ્રભાવથી બચવા માટે ઘર આંગણે સાફ-સફાઈ રાખવી જોઈએ અને અલગ જગ્યાએ દરવાજાથી દૂર બૂટ-ચંપલ મુકવા જોઈએ.
રસોડામાં ચંપલ ન પહેરવા
ADVERTISEMENT
કેટલાક લોકો રસોડામાં ચંપલ પહેરીને રસોઈ બનાવવાની ભૂલ કરે છે જેનાથી માં લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં અન્નની ઉણપ પણ થઇ શકે છે. એવામાં હમેશા રસોડામાં ઉગાડા પગે રસોઈ બનાવવી જોઈએ જેથી ઘરમાં માં લક્ષ્મીની કૃપા બની રહે.
ADVERTISEMENT
ઘરની અંદર બૂટ-ચંપલ પહેરીને ન જમવું
કેટલાક લોકોને ઘરની અંદર બૂટ-ચંપલ પહેરીને જમવાની આદત હોય છે. એવામાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઇ શકે છે અને ઘરમાં આર્થિક સમસ્યા બની રહે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.