બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
Vidhata
Last Updated: 09:19 AM, 18 April 2024
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશી હોય છે, આ દિવસે વ્રત રાખવામાં આવે છે. કામદા એકાદશીનું વ્રત રાખવાથી અને આ દિવસ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી ઘણો લાભ મળે છે. એવી માન્યતા છે કે કામદા એકાદશીનાં દિવસે વ્રત કરવાથી અને પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. ઉપરાંત આ વ્રત કરવાથી મોક્ષ પણ મળે છે. આ વર્ષે કામદા એકાદશીનું વ્રત 19 એપ્રિલ શુક્રવારના રોજ રાખવામાં આવશે. એમ તો શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. એવામાં આ વખતે કામદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિશેષ છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર કામદા એકાદશીનાં વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં આવે. કામદા એકાદશીનાં વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. જે વ્યક્તિ આ કથા વાંચે કે સંભાળે છે તેના પુણ્ય વધે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો 100 યજ્ઞો કરવા બરાબર ફળ મળે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને કામદા એકાદશીની કથા સંભળાવી હતી. જે અનુસાર, પ્રાચીન કાળમાં પુંડરિક નામનો એક રાજા હતો, જે ભોગ અને વિલાસમાં મગ્ન રહેતો હતો. તેના રાજ્યમાં લલિત અને લલિતા નામના સ્ત્રી-પુરુષો રહેતા હતા. બંને વચ્ચે અપાર પ્રેમ હતો. એક દિવસ લલિત રાજાના દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો પણ ત્યારે જ તેનું ધ્યાન તેની પત્ની પર ગયું અને તેનો સ્વર બગડી ગયો. આ જોઈને રાજા પુંડરિક ક્રોધિત થઈ ગયા અને તેને લલિતને રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો.
વધુ વાંચો: અમદાવાદમાં આવેલા છે આમલીવાળી માતાજી, નાગણી સ્વરૂપે આપતા દર્શન, મહિમા 100 વર્ષ જૂનો
શ્રાપના પ્રભાવથી લલિત માંસનું ભક્ષણ કરનાર રાક્ષસ બની ગયો. લલિતની પત્ની પોતાના પતિની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણીએ તેના પતિને ઠીક કરવાના ઘણા પ્રયાસો કર્યા. ત્યારે કોઈએ તેને શ્રૃંગી ઋષિ પાસે જવાનું કહ્યું. લલિતા વિંધ્યાચલ પર્વત પર સ્થિત શૃંગી ઋષિના આશ્રમમાં ગઈ અને તેને તેના પતિની આખી હાલત જણાવી. ઋષિએ લલિતાને મનોકામનાઓ પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત રાખવા કહ્યું. સાથે જ ઋષિએ એમ પણ કહ્યું કે જો તે કામદા એકાદશીનું વ્રત કરે છે તો તેના પુણ્યને કારણે તેનો પતિ લલિત ફરીથી માનવ યોનિમાં આવી જશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips