બ્રેકિંગ ન્યુઝ
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Last Updated: 11:28 PM, 28 April 2024
બદલતી જીવનશૈલીને કારણે લોકોનું આયુષ્ય ટુકુ થઇ રહ્યુ છે. પરંતુ તમે પણ 100 વર્ષ જીવવા માગો છો તો કેટલીક વૈજ્ઞાનિકોની સલાહ તમારે અપનાવવી જોઇએ.સો વર્ષ જીવવાની રીતો શું છે, લાંબુ જીવન જીવવાની રીતો શું છે? આ સવાલોના જવાબ એ છે કે જો આપણે પૃથ્વી પર 100 વર્ષ વિતાવવા માંગતા હોય તો સ્વસ્થ અને ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આજકાલ દરેક ઉંમરના લોકોને અસર કરતી વિવિધ બીમારીઓને કારણે સ્વસ્થ રહેવું મુશ્કેલ બની ગયું છે.
ADVERTISEMENT
પરંતુ, જો તમે યોગ્ય જીવનશૈલી અપનાવો છો, તો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો અને લાંબુ, સુખી જીવન જીવી શકો છો. જો તમારે સ્વસ્થ અને લાંબુ જીવન જીવવું હોય તો કેટલીક આદતો છે જેને તમારે તમારા જીવનનો ભાગ બનાવવી જોઈએ.
પ્રાણાયામ કરો
પ્રાણાયામ માત્ર ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે અને તણાવને કારણે થતા રોગોને ઘટાડે છે, પરંતુ તે તમારા આયુષ્યને પણ વધારી શકે છે. પ્રાણાયામ, વ્યાયામ અને ધ્યાનની મદદથી તમે તમારા ફેફસાંની કામગીરીમાં સુધારો કરી શકો છો.
નિયમિત ધ્યાન કરો
ધ્યાનના અગણિત ફાયદા છે અને આમાંનો એક ફાયદો છે આયુષ્ય. ધ્યાન કરવાથી ટેલોમેર્સની લંબાઈ વધે છે. ટેલોમેરેસ એ ડીએનએના છેડે જોવા મળતા કેપ જેવી રચનાઓ છે, જે વૃદ્ધત્વ અને આયુષ્યનું ખૂબ જ મહત્વપૂર્ણ સૂચક છે.
ADVERTISEMENT
સારી ઊંઘ લો
મોટાભાગના લોકોને સારી ઊંઘ આવતી નથી અને ઉંઘની ઉણપ સેંકડો રોગોનું મૂળ છે. નબળી ઊંઘથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.
તમારા આંતરડાની સંભાળ રાખો
ટ્રિલિયન બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મસજીવો તમારા આંતરડામાં રહે છે, જેને માઇક્રોબાયોમ કહેવાય છે. આ માઇક્રોબાયોમ્સ તમારા પાચન, રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. હવે જ્યારે તમે વધુ પડતા જંક ફૂડ, ખાંડ અને ચરબીનું સેવન કરો છો, ત્યારે તમે તમારા માઇક્રોબાયોમને નુકસાન પહોંચાડો છો. તેનાથી તમારું પાચન બગડી શકે છે. તેના બદલે કોમ્બુચા, દહીં, ટેમ્પેહ, કિમચી અને કીફિર જેવી વસ્તુઓ ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે.
વાંચવા જેવું: 'RSS અને BJP સંવિધાન ખતમ કરવા માંગે છે',દમણમાં રાહુલ ગાંધીના ચાબખા
સકારાત્મક બનો
લાંબુ આયુષ્ય હાંસલ કરવા માટે સારી ખાણીપીણીની આદતો પછી સૌથી મહત્વની બાબત એ છે કે મનને તણાવમુક્ત રાખવું. સકારાત્મક રહેવાથી તમારા વહેલા મૃત્યુના જોખમને 40 ટકા ઘટાડી શકાય છે. લાંબુ જીવન જીવવા માટે તમારે ચિંતાઓને બદલે સકારાત્મક બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
(disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ