બ્રેકિંગ ન્યુઝ
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
Last Updated: 07:51 PM, 28 April 2024
લોકસભા ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે. નિવેદનોથી લઈ પક્ષ પલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી તરફ સ્ટાર પ્રચારકો પણ સભા ગજવી રહ્યાં છે. ગુજરાતમાં મતદાનની તારીખને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે મતદારોને રિઝવવા રાજકીય પાર્ટીઓ એડી ચોટીનો જોર લગાવી રહ્યાં છે. દમણ-દીવ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો માહોલ બારબરનો જામ્યો છે. અહીં કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ જનસભા ગજવી ભાજપ પર નિશાન સાંધ્યું હતું.
ADVERTISEMENT
आज श्री @RahulGandhi ने दमन और दीव में विशाल जनसभा को संबोधित किया।
— Congress (@INCIndia) April 28, 2024
BJP-RSS संविधान को खत्म करना चाहते हैं, जनता से उनके अधिकार छीनना चाहते हैं, लेकिन हम कभी ऐसा नहीं होने देंगे।
न्याय के लिए लड़ते रहेंगे
संविधान की रक्षा के लिए लड़ते रहेंगे
जय हिंद 🇮🇳
जय कांग्रेस ✋ pic.twitter.com/vETapC9W5T
દમણની સભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, RSS અને ભાજપ સંવિધાન ખતમ કરવા માંગે છે તેમજ મોદીજી કહે છે કે એક દેશ એક ભાષા પરંતુ તમામ રાજ્યની અલગ અલગ ભાષા છે તો એ શક્ય નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી કહે છે કે સ્થાનિક કલ્ચર જળવાવવું જોઈએ. પ્રફુલ પટેલ એડમિનિસ્ટ્રેટર નહી પણ રાજાની જેમ વર્તે છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, જે સંવિધાન છે એની કોંગ્રેસએ સંભાળ રાખી છે. ભારતને સંવિધાને જે આપ્યું તેની રક્ષા કોંગ્રેસ કરે છે. સંવિધાન કહે છે કે ભારતના તમામ લોકોને એક જેવા અધિકાર મળે. વધુમાં કહ્યું કે, જરૂરીયાતમંદ લોકોને આરક્ષણ આપવાનું કામ સંવિધાને કર્યું છે. રાહુલ ગાંધીએ સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોનો એકપણ રૂપિયો આ સરકારે માફ કર્યો નથી. દેશની અલગ અલગ એજન્સીઓ ખતમ કરવાનું કામ ભાજપ કરી રહ્યું છે. યુનિવર્સિટીઓમાં કુલપતિઓના નામે રાજાઓ બેસાડવાનું કામ કરે છે.
વાંચવા જેવું: 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
સભા સંબોધતા તેમણે કહ્યું કે, દિલ્હીમાં સરકાર બન્યા બાદ 2 મિનિટમાં જ પ્રફુલ પટેલને ઘર ભેગા કરીશું તેમજ કોંગ્રેસની સરકાર બનતા જ પરિવારની મહિલાના ખાતામાં 1 લાખ રૂપિયા જમા થશે. સાથો સાથ એમ પણ કહ્યું કે, ભારતના ગ્રેજ્યુએટને કોંગ્રેસ સરકાર અધિકાર આપશે. દર મહિને ગ્રેજ્યુએટને એપ્રેન્ટિશ યોજના હેઠળ ટ્રેનિંગ અને 8500 રૂપિયા આપીશે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ