બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:04 PM, 13 June 2026
IAF Plane Crash : આસામના જોરહાટ એરબેઝ પર ભારતીય વાયુસેનાના AN-32 વિમાન સાથે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ ક્રેશ લેન્ડ થતાં જ વિમાન ભડકે બળ્યું#IndianAirForce #AircraftCrash #AirForce #Aviation #Aircraft #Defence #VTVDigital pic.twitter.com/JXI3OZpMqx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2026
પ્રાથમિક માહિતી મુજબ વિમાન નિયમિત ઉડાન પૂર્ણ કર્યા બાદ લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ઘટના બાદ વિમાનમાં આગ ફાટી નીકળતા એરબેઝ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
#UPDATE | Firefighting operations are underway at the accident site in Jorhat, say IAF officials, after an AN-32 transport aircraft of the Indian Air Force met with an accident at the Jorhat Air Force station. https://t.co/JYX7IxmEUo
— ANI (@ANI) June 13, 2026
સૂત્રો અનુસાર, વિમાન ઉતરાણ સમયે રનવે પર નિયંત્રણ ગુમાવી બેઠું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વિમાન બે ભાગમાં વિભાજિત થઈ ગયું અને આગ ભભૂકી ઊઠી. ઘટના જોરહાટ એરબેઝની અંદર જ બનતા વાયુસેના અને ઇમરજન્સી વિભાગ તરત જ સક્રિય બન્યા હતા.
ADVERTISEMENT

ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ ક્રૂ સભ્યો અને અન્ય કર્મચારીઓની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી બહાર આવવાની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાતથી લઇને UP સુધી..., આજે એકસાથે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
ભારતીય વાયુસેનાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે AN-32 વિમાન સાથે બનેલી આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રારંભિક માહિતીના આધારે ટેકનિકલ કારણો અને લેન્ડિંગ સંબંધિત પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.