બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / 'નકલી' પિઝા ડિલિવરી કૌભાંડની જાળમાં ફસાયેલા ભારતીય મૂળના યુવકની નિર્મમ ગોળી મારીને હત્યા

NRI / 'નકલી' પિઝા ડિલિવરી કૌભાંડની જાળમાં ફસાયેલા ભારતીય મૂળના યુવકની નિર્મમ ગોળી મારીને હત્યા

Bijal Vyas

Last Updated: 12:36 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણાના 28 વર્ષીય ભારતીય વ્યક્તિનીફિલાડેલ્ફિયામાં પીત્ઝા ડિલિવરી કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના નકલી ઓર્ડરને કારણે બની હોવાનું કહેવાય છે.

તેલંગાણાના 28 વર્ષીય ભારતીય વ્યક્તિનીફિલાડેલ્ફિયામાં પીત્ઝા ડિલિવરી કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના નકલી ઓર્ડરને કારણે બની હોવાનું કહેવાય છે. મૃતક અમેરિકામાં પાર્ટ-ટાઇમ પીત્ઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો.

પીડિતની ઓળખ અંશુલ કુંચા તરીકે થઈ છે. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો અને વધારાની આવક મેળવવા માટે વીકેન્ડના અંતે પિઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે પાર્ટ-ટાઇમ કામ પણ કરતો હતો.

રાતમાં નકલી ઓર્ડર

શનિવારે રાત્રે તેને એકાંત સ્થળે 'નકલી' ડિલિવરી ઓર્ડર મળ્યો. જ્યારે તે ત્યાં પહોંચ્યો, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ ગોળીબાર કર્યો અને અંશુલના માથામાં અનેક ગોળી મારીને ભાગી ગયો.

અંશુલના પરિવારના જણાવ્યા અનુસાર, તેને લૂંટવામાં આવ્યો ન હતો, જે હત્યા પાછળના હેતુ પર પ્રશ્નો ઉભા કરે છે. પરિવારે જે જણાવ્યું એ મુજબ, હુમલા સમયે બે માસ્ક પહેરેલા બંદૂકધારી લોકો બેકપેક લઈને આ વિસ્તારમાં જોવા મળ્યા હતા.

અંશુલની સાથે પહેલા થઇ ચૂકી છે લૂટપાટ

તેમણે જણાવ્યું કે, અંશુલ અગાઉ અમેરિકામાં લૂંટનો ભોગ બન્યો હતો, જેમાં તેની ચેઇન, ફોન અને રોકડ પૈસા ચોરી થઇ ગયા, પરંતુ તેને ક્યારેય જીવલેણ હુમલો થયો ન હતો. અંશુલની બહેન, તન્વીએ આરોપ લગાવ્યો કે પિઝા ડિલિવરી તેને મારવા માટે ગોઠવવામાં આવેલી જાળ હતી.

તેણે કહ્યું, "તેને એક સુમસાન વિસ્તારમાં પીત્ઝા પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અમને પાછળથી ખબર પડી કે તે એક યુક્તિ હતી. ત્યાં કોઈ નહોતું. તે ફક્ત તેને મારવા માટે જ એક જાળ હતો. અમને ખબર નથી કે આમાંથી તેમને શું મળ્યું અથવા તેમના ઇરાદા શું હતા. તેઓ મારા ભાઈને લઈ ગયા અને તેને મારી નાખ્યો."

મૃતદેહને ભારત લાવવાની માંગ

અંશુલની બહેને અધિકારીઓને અપીલ કરી કે, તેના ભાઈના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછો લાવવામાં આવે. તેણે કહ્યું, "મારો ભાઈ ખૂબ જ મિલનસાર અને ખુશખુશાલ વ્યક્તિ હતો. તે લગભગ ચાર વર્ષથી અમેરિકામાં હતો. અમને જાણવા મળ્યું કે તેને નકલી પિઝા ડિલિવરી વિનંતીનો ઉપયોગ કરીને જાળમાં ફસાવીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમારી એકમાત્ર વિનંતી છે કે તેના મૃતદેહને વહેલી તકે ભારત પાછો લાવવામાં આવે."

તન્વીએ જણાવ્યું કે, અધિકારીઓએ પરિવારને જાણ કરી હતી કે સોમવારે મૃતદેહ સોંપી શકાય છે, પરંતુ તેણીએ તેમને પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી જેથી પરિવાર વિલંબ કર્યા વિના અંતિમ સંસ્કાર કરી શકે.

તેમણે તેમના ભાઈ માટે ન્યાયની પણ માંગ કરી અને કહ્યું કે પરિવારને કોઈ ચોક્કસ વ્યક્તિ સામે કોઈ ચોક્કસ શંકા નથી, પરંતુ તેઓ ઇચ્છે છે કે જવાબદારોને ઓળખવામાં આવે અને સજા કરવામાં આવે.

આ પણ વાંચોઃ હવે ગ્રીન કાર્ડ મેળવવું સરળ નહીં રહે! અમેરિકાની સંસદમાં રજૂ કરાયો આ પ્રસ્તાવ

બાળકોને અમેરિકા ના મોકલવાની અપીલ

મીડિયા સાથે વાત કરતા, તન્વીએ લોકોને અપીલ કરી કે તેઓ તેમના બાળકોને અમેરિકા ન મોકલે. તેણે કહ્યું, "આ તે બધા માતાપિતા માટે સંદેશ છે જેઓ તેમના બાળકોને અમેરિકા મોકલવાનું વિચારી રહ્યા છે. મારો ભાઈ ખૂબ જ મિલનસાર અને ખુશખુશાલ વ્યક્તિ હતો. તેની પાસે અમેરિકા જવાનું કોઈ કારણ નહોતું, છતાં અમે તેને મોકલ્યો. તે પોતે પણ જવા માંગતો ન હતો, પણ તે ગયો, અને તેના પર શું વીત્યું તે જુઓ. તમારા બાળકોને અમેરિકા ન મોકલો."

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાની નોંધ લીધી છે અને કહ્યું કે, તે સ્થાનિક અધિકારીઓ અને પીડિત પરિવાર સાથે સંપર્કમાં છે, શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. અંશુલની દુ:ખદ હત્યાથી અમેરિકા અને તેલંગાણામાં તેલુગુ સમુદાયમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

delivering fake pizza order indian man shot dead in us
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ