બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:05 AM, 7 June 2026
ભારતીય ક્રિકેટના ઉગતા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવીને સૌને ચોંકાવી દીધા છે. તેમની નાની ઉંમર અને વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને BCCIએ તેમના માટે ખાસ વ્યવસ્થા કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવના માતા-પિતા પણ તેમની સાથે રહી શકશે, જેથી તે નવા માહોલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણ સાથે સરળતાથી તાલમેલ બેસાડી શકે. IPL 2026 અને અંડર-19 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ હવે વૈભવ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા બતાવવા તૈયાર છે.
ADVERTISEMENT
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. BCCIએ ખાસ પરવાનગી આપીને નક્કી કર્યું છે કે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવના માતા-પિતા અથવા પરિવારનો કોઈ સભ્ય તેમની સાથે રહી શકશે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે વૈભવ હજુ સગીર છે. અત્યાર સુધી તે અંડર-19 ટીમ સાથે પોતાના સમવયસ્ક ખેલાડીઓ વચ્ચે રમતા અને પ્રવાસ કરતા આવ્યા છે. પરંતુ સિનિયર ભારતીય ટીમમાં બધા ખેલાડીઓ વયસ્ક છે અને ત્યાંનું વાતાવરણ અલગ હોય છે. તેથી વૈભવને નવા માહોલમાં સરળતાથી ઢળી જવામાં મદદ મળે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સૈકિયાએ કહ્યું, "વૈભવ હજુ ખૂબ નાનો છે. અંડર-19 લેવલે તે પોતાના ઉંમરના ખેલાડીઓ સાથે રમતો હતો પરંતુ સિનિયર ટીમમાં સ્થિતિ અલગ છે. તેથી તેના માતા-પિતા તેની સાથે રહે તે તેના માટે વધુ સારું રહેશે."
ADVERTISEMENT
હાલમાં વૈભવ શ્રીલંકામાં ઇન્ડિયા-એ ટીમ સાથે ત્રિકોણીય સિરીઝ રમી રહ્યો છે. તેના પિતા પણ ટૂંક સમયમાં શ્રીલંકા પહોંચવાના છે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે જો પરિવાર ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ તેની સાથે રહેવા માંગે તો બોર્ડ તમામ જરૂરી સહયોગ આપશે.સામાન્ય રીતે કોઈ ખેલાડીને આવી ખાસ સુવિધા આપવામાં આવતી નથી, પરંતુ વૈભવનો કેસ અલગ છે. BCCIનું માનવું છે કે આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું દબાણ અને વિદેશી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પરિવારનો સાથ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશી માટે વર્ષ 2026 એક સપનાની જેમ રહ્યું છે. તેણે પ્રથમ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 175 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારબાદ IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે 16 મેચમાં કુલ 776 રન બનાવ્યા. 237.30ના અદ્ભુત સ્ટ્રાઈક રેટ સાથે તેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેના આ પ્રદર્શન બદલ તેને ઓરેન્જ કેપ અને "મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર" જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ADVERTISEMENT
વૈભવના શાનદાર પ્રદર્શનની અસર ભારતીય ટીમની પસંદગી બેઠકમાં પણ જોવા મળી. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે સ્વીકાર્યું કે વૈભવે પોતાના રમત દ્વારા પસંદગીકારોને તેને ટીમમાં સામેલ કરવા માટે મજબૂર કરી દીધા. અગરકરે જણાવ્યું, "વૈભવે પોતાના પ્રદર્શનથી ટીમમાં સ્થાન મેળવ્યું છે. આટલી નાની ઉંમરે તે જે રીતે દબાણવાળી મેચોમાં રમે છે તે ખરેખર અસાધારણ છે. તેની પાસે મેચનું પરિણામ બદલવાની ક્ષમતા છે અને અમને તેના ભવિષ્યથી ઘણી આશાઓ છે."
વૈભવ સૂર્યવંશી આજે ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી યુવા ખેલાડીઓમાં ગણાય છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે જે સિદ્ધિઓ મેળવી છે તે ઘણા ખેલાડીઓ આખી કારકિર્દીમાં પણ મેળવી શકતા નથી. BCCI દ્વારા આપવામાં આવેલું આ ખાસ સમર્થન દર્શાવે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવતા આ યુવા ખેલાડીની દરેક રીતે કાળજી લેવામાં આવી રહી છે. આવનારા ઇંગ્લેન્ડ પ્રવાસમાં હવે સૌની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે. ક્રિકેટ ચાહકોને આશા છે કે તે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાની પ્રતિભાનો જાદુ બતાવીને ભારતનું નામ વધુ ઊંચું કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT