બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:49 AM, 7 June 2026
દેશની રાજધાની દિલ્હીમાં શૈક્ષણિક પરીક્ષાઓ અને સરકારી ભરતીઓમાં થતી કથિત ગેરરીતિઓ તેમજ પેપર લીક જેવા મુદ્દાઓને લઈને યુવાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના બેનર હેઠળ એક અત્યંત અનોખું અને પ્રભાવશાળી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ આંદોલનની માંગણીઓને વ્યાજબી ઠેરવીને તેને પોતાનું સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે.
ADVERTISEMENT
The cockroach movement is an expression of huge anger and frustration experienced by the youth of this country. Rather than terming them anti-national, Modi govt shud address their issues. AAP supports their demands. The Prime Minister must sack the education minister… https://t.co/B50fbOfcMo
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 6, 2026
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, કોકરોચ આંદોલન એ દેશના યુવાનોના ભારે ગુસ્સા અને હતાશાની અભિવ્યક્તિ છે. મોદી સરકારે આ પ્રદર્શન કરી રહેલા દેશના ભવિષ્ય સમાન યુવાનોને 'રાષ્ટ્રવિરોધી' કરાર આપવાને બદલે તેમની વાસ્તવિક સમસ્યાઓ અને પીડાનું તાત્કાલિક સમાધાન કરવું જોઈએ. આમ આદમી પાર્ટી યુવાનોની આ તમામ માંગણીઓનું સંપૂર્ણ સમર્થન કરે છે. દેશના વડાપ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને વિલંબ કર્યા વિના પદ પરથી બરખાસ્ત કરવા જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
શનિવારે યોજાયેલા આ પ્રદર્શનને પગલે દિલ્હી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ અનોખા સંગઠનના સ્થાપક અભિજીત દીપકે પોતે આ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને તેઓ જંતર-મંતર ખાતે હાજર રહ્યા હતા.
આ પ્રદર્શનની સૌથી આકર્ષક અને ચોંકાવનારી બાબત એ હતી કે વિરોધ કરવા માટે એકત્ર થયેલા મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓએ પોતાના ચહેરા પર કોકરોચના માસ્ક પહેર્યા હતા અને તેઓ પોતાના હાથમાં ગુલાબના ફૂલ લઈને શાંતિપૂર્ણ પણ આક્રમક રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. આ આંદોલનમાં માત્ર કોલેજના યુવાનો જ નહીં, પરંતુ શાળાના નાના બાળકો પણ પોતાના વાલીઓ (પેરેન્ટ્સ) સાથે મોટી સંખ્યામાં ભાગ લેવા પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ હતી.
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટીના માધ્યમથી દેશના વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. આ પ્રદર્શન દ્વારા દેશની સર્વોચ્ચ અને મહત્વની ગણાતી નીચે મુજબની પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે કડક જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે:
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 17 રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ, જુઓ તમારા શહેર સુધી ચોમાસું ક્યારે પહોંચશે?
ADVERTISEMENT
જંતર-મંતર પર એકઠા થયેલા હજારો છાત્રોએ દેશની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતા જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT