બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કેમ આટલો સિરિયસ રહે છે આર્યન ખાન? રાઘવ જુયાલે જણાવ્યું પબ્લિકમાં નહીં હસવાનું કારણ
Last Updated: 11:47 PM, 21 July 2026
એક સમયે ડાન્સર તરીકે ઓળખાતા રાઘવ જુયાલ જ્યારે એક્ટર તરીકે ખુબ ચમક્યો હતો. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની વેબ સિરીઝ 'The Bad of Bollywood'માં તેને મહત્વનો રોલ મળ્યો હતો. જેમાં તે થોડા જ સમયમાં રાઘવ આર્યન ખાનના ખૂબ નજીક આવી ગયા. હવે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આર્યન પબ્લિક ઇવેન્ટ્સમાં ભાગ્યે જ કેમ સ્માઈલ કરે છે? ત્યારે તેને મહત્વનો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
આ અંગે એક જગ્યાએ વાત કરતા રાઘવ જુયાલે કહ્યું,“તે બતાવવું નથી માંગતો. મને નથી લાગતું કે તે કોઈ બનાવટીપણું દેખાડવા માંગે છે. તે એવો જ છે અને મને લાગે છે કે તેને એવો જ રહેવા દેવો જોઈએ. તે ખૂબ ક્રિએટિવ, સ્વાભાવિક અને પોલાઈટ પ્રકારનો વ્યક્તિ છે. આ જ તેનો સ્વભાવ છે.
ADVERTISEMENT
”પણ શું આર્યન ઘરે પણ આવો જ છે કે માત્ર પબ્લિકમાં ખુદને સીરિયસ દેખાડે છે? આ સવાલના જવાબમાં રાઘવે આર્યનના વ્યક્તિત્વની અમુક અંદરની પરતો ખોલી હતો.
ADVERTISEMENT
તેમને કહ્યું કે આર્યન તેની પર્સનલ લાઇફમાં એકદમ અલગ છે. જો તે સ્માઈલ કરવા ન માંગે તો તે તેની મરજી છે. ઘરે તે હસે છે, મજાક કરે છે અને ખૂબ મસ્તી કરે છે. આર્યનને કેમેરા સામે સ્માઈલ કરવાનો થોડો ફોબિયા જેવું છે.
ADVERTISEMENT
રાઘવે કહ્યું,“તેને કેમેરા સામે સ્માઈલ કરવાનો ડર લાગે છે. તે કેમેરા સામે સ્માઈલ કરતો જ નથી, તેને એટિટ્યુડમાં રહેવું ગમે છે. પણ અમારી સાથે તે થોડો અલગ જ પ્રકારનો હોય છે. તેમાં બાળક જેવી માસૂમિયત છે.”
ADVERTISEMENT
રાઘવ જુયાલે એક ગ્રાન્ડ પણ પ્રાઈવેટ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું અને શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન તેમજ તેમના સાથી એક્ટર બોબી દેઓલ સહિત પોતાના નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.