બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:55 AM, 22 July 2026
1/6
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, શનિ દેવને કર્મના ફળ આપનાર અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તમામ ગ્રહોમાં શનિની ગતિ સૌથી ધીમી છે, જેના કારણે તેમનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. જ્યારે શનિ કોઈ રાશિના સંદર્ભમાં બારમા, પહેલા અને બીજા ભાવમાંથી પસાર થાય છે, ત્યારે તે સમયગાળાને 'શનિની સાડાસાતી' તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કો વ્યક્તિના ધીરજ, શિસ્ત અને કર્મોની પરીક્ષા કરે છે.
2/6
વર્ષ 2026ના આગામી મહિનાઓમાં, શનિની સ્થિતિને કારણે અમુક રાશિના જાતકોએ વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષીઓના મતે, મેષ, કુંભ અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતો, સ્વાસ્થ્ય અને સંબંધોના સંદર્ભમાં ખાસ સતર્ક રહેવાની જરૂર છે. આવો જાણીએ કે, આ રાશિઓ પર 'સાડાસાતી'ની શું અસર પડશે અને તેઓ આ પડકારજનક તબક્કામાંથી ક્યારે રાહત મેળવશે.
3/6
મેષ રાશિના જાતકો હાલમાં 'સાડાસાતી'ના પ્રથમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેથી, તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ અને દરેક પગલું સમજી-વિચારીને ભરવું જોઈએ. અમુક જાચતો પર આ સમયગાળામાં બોજ કે દબાણનો સામનો પણ કરવો પડી શકે છે. માનસિક તણાવ, માથાનો દુખાવો, આંખની સમસ્યાઓ અથવા અનિદ્રા જેવી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પરેશાની ઊભી કરી શકે છે. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. પંચાંગ અનુસાર, મેષ રાશિના જાતકો માટે 'સાડાસાતી'નો તબક્કો હમણાં જ શરૂ થયો છે અને તેઓ 31 મે,2032 ના રોજ જ તેમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળશે.
4/6
કુંભ રાશિના જાતકો હાલમાં 'સાડાસાતી'ના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. પંચાંગ અનુસાર, 3 જૂન 2027 ના રોજ જ્યારે શનિ ગ્રહ સંપૂર્ણપણે આગળની રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કુંભ રાશિના જાતકો 'સાડાસાતી'ના પ્રભાવમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. આ સમયગાળા દરમિયાન તમારે સાવચેતી રાખવાની જરૂર છે, ખાસ કરીને આર્થિક અને પારિવારિક બાબતોમાં કારણ કે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હાલમાં રોકાયેલા નાણાં મળવામાં વિલંબ થઈ શકે છે અથવા અન્યને આપેલી રકમ પાછી મેળવવામાં લાંબો સમય લાગી શકે છે. પરિવારમાં કે કાર્યસ્થળ પર ગેરસમજો વધી શકે છે. કોઈપણ વિવાદ ટાળવા માટે, વાતચીત દરમિયાન તમારી વાણી અને ગુસ્સા પર સંયમ રાખવો અત્યંત આવશ્યક છે.
5/6
મીન રાશિના જાતકો હાલમાં 'સાડાસાતી'ના બીજા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, તમારે તમારી કારકિર્દી અને સ્વાસ્થ્ય બંને પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને મતભેદોનો સામનો કરવો પડી શકે છે, જ્યારે નોકરી કરતા લોકોના કામના બોજ અને જવાબદારીઓમાં અચાનક વધારો થઈ શકે છે. તમને છાતીને લગતી સમસ્યાઓ અથવા મોસમી બીમારીઓ થવાની શક્યતા પણ રહેલી છે. આ ઉપરાંત, સામાજિક વર્તુળ હોય કે કાર્યસ્થળ, તમારા વર્તન અને પબ્લિક ઇમેજ પ્રત્યે સજાગ રહો. 'દ્રિક પંચાંગ' અનુસાર, મીન રાશિના જાતકો 8 ઓગસ્ટ, 2029ના રોજ 'સાડાસાતી'ના પ્રભાવમાંથી સંપૂર્ણપણે મુક્ત થશે.
6/6
જ્યોતિષીઓના મતે, શનિનો પ્રભાવ હંમેશા નકારાત્મક હોતો નથી. 'સાડાસાતી'નો સમયગાળો વાસ્તવમાં આપણને શિસ્ત, સખત મહેનત અને જવાબદારીના પાઠ શીખવે છે. જો આ રાશિના જાતકો ધીરજ રાખે, જીવનમાં શિસ્તનું પાલન કરે, પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખે અને નિયમિતપણે જરૂરિયાતમંદોને મદદ કરવા તેમજ પૂજા-અર્ચના કરવામાં સમય ફાળવે, તો 'સાડાસાતી'ની વિપરીત અસરોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ