બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સંસદમાં બોલવાનો મોકો ન મળતા અકળાયા અખિલેશ યાદવ, કહ્યું ''અમારું શું?''

નેશનલ / સંસદમાં બોલવાનો મોકો ન મળતા અકળાયા અખિલેશ યાદવ, કહ્યું ''અમારું શું?''

Published By: Jinal Chauhan

Last Updated: 02:15 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે બુધવારે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો. આ મુદ્દે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પોતાની નારાજગી વ્યક્ત કરી અને સ્પીકર સામે સવાલો ઉઠાવ્યા.

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી હતી. સાથે જ પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી અંગે ચર્ચા કરાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ દરમિયાન સ્પીકરે કોંગ્રેસ અને ભાજપના સભ્યોને બોલવાની તક આપતા અખિલેશ યાદવ નારાજ થયા હતા. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પક્ષનો નહીં પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોનો મુદ્દો છે.

બોલવાની તક ન મળતા અખિલેશનો વિરોધ

અખિલેશ યાદવે કહ્યું કે સ્પીકરે માત્ર કોંગ્રેસ અને ભાજપને બોલવાની તક આપી છે, જ્યારે અન્ય પક્ષોને અવગણવામાં આવ્યા છે. તેમણે સવાલ કર્યો કે શું આ મુદ્દે પહેલેથી કોઈ સમજૂતી થઈ ગઈ છે. તેમના મતે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દે દરેક પક્ષને પોતાની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ.

વિદ્યાર્થીઓનો મુદ્દો રાજકારણથી ઉપર : અખિલેશ

સપા પ્રમુખે જણાવ્યું કે NEET પેપર લીકનો મુદ્દો કોઈ એક પક્ષનો નથી. આ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. તેમણે ચેતવણી આપી કે જો વિદ્યાર્થીઓની વાત નહીં સાંભળવામાં આવે તો લોકો રસ્તા પર ઉતરવા મજબૂર બનશે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ફરી માગ

અખિલેશ યાદવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ફરી દોહરાવી હતી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલી ગેરરીતિ માટે જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે દાવો કર્યો કે જો સંસદમાં જવાબ નહીં મળે તો જનતા બહાર પણ જવાબ માંગશે.

vtv app promotion

આ પણ વાંચોઃ CJPના સમર્થકો પર પોલીસ કાર્યવાહી મુદ્દે સંસદમાં હોબાળો, સાંસદે કહ્યું ''શિક્ષણ મંત્રી રાજીનામું આપે''

પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને પણ અખિલેશ યાદવે સરકારને ઘેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારીઓ સાથે કઠોર વર્તન કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ અને નેતાઓ સાથે થયેલા વર્તન અંગે સરકારે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.

સરકારે ચર્ચા માટે તૈયારી દર્શાવી

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે સરકાર NEET પેપર લીક મુદ્દે ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે જણાવ્યું કે લોકસભાના સ્પીકર તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને ચર્ચાનો સમય અને નિયમો નક્કી કરશે. સરકાર ઇચ્છે છે કે યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Akhilesh Yadav Lok Sabha News NEET Paper Leak

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ