બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 22 July 2026
દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા સંબંધિત કૌભાંડોને લગતું આંદોલન હવે દિલ્હીથી સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન તરીકે શરૂ થયેલું આ આંદોલન હવે અનેક રાજ્યો સુધી વિસ્તર્યું છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સામાજિક સંસ્થાઓની સાથે સાથે કોંગ્રેસ સહિતના વિવિધ વિરોધ પક્ષો પણ હવે આ આંદોલનમાં જોડાયા છે. સંસદ તરફના કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના પરિણામે રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાએ રાજકીય માહોલને વધુ ગરમાવી દીધુ છે.
ADVERTISEMENT
બુધવારે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સંસદ સંકુલની અંદર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન 'મકર દ્વાર'ની બહાર કરવામાં આવ્યું હતું. ઘણા સાંસદો કાળાં કપડાં પહેરેલા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ આંદોલન જંતર-મંતરથી શરૂ થયું હતું, પરંતુ તાજેતરના દિવસોમાં તેનો વ્યાપ અનેક રાજ્યો સુધી વિસ્તર્યો છે. એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે બેરિકેડ્સનો ઉપયોગ કરીને તેમને અટકાવ્યા, જેના પરિણામે અનેક વિસ્તારોમાં ઘર્ષણ અને લાઠીચાર્જની ઘટનાઓ બની. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી. ઘાયલ વિદ્યાર્થીઓના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેનાથી દેશભરમાં ચર્ચા જાગી.
ADVERTISEMENT
ત્યાર બાદ, કોંગ્રેસે સરકાર પર વિરોધ પ્રદર્શનને દબાવવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધી સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ વિરોધ પ્રદર્શન કરનારાઓના સમર્થનમાં આગળ આવ્યા છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી હતી, જેના પગલે કોંગ્રેસે આ પગલાંને વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેના જવાબમાં સરકારે કહ્યું કે વિપક્ષ વિદ્યાર્થીઓના મુદ્દાનું રાજકીયકરણ કરી રહ્યું છે.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. વિપક્ષે શિક્ષણ વ્યવસ્થા અને પોલીસની કાર્યવાહીના મુદ્દે સરકારને ઘેરી હતી, જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષ પર વિદ્યાર્થીઓનો ઉપયોગ 'મહોરા' તરીકે કરવાનો આરોપ મૂક્યો હતો. દિલ્હીની બહાર પણ વિરોધ પ્રદર્શનો તેજ બન્યા હતા; અમદાવાદમાં લગભગ 150 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને મુક્ત કરી દેવાયા હતા. જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનો હજુ પણ ચાલુ છે અને આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ આંદોલન પાછું ખેંચશે નહીં.
ADVERTISEMENT
NEET પેપર લીક અંગે ચર્ચા માટે સ્પીકર સર્વપક્ષીય બેઠક યોજશે
NEET પેપર લીક મુદ્દે ચર્ચા કરવા અંગે સર્વસંમતિ માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલા તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો યોજશે. જો વિપક્ષ સહમત થાય, તો સરકાર આવતીકાલથી જ આ બાબતે ચર્ચા શરૂ કરવા તૈયાર છે.
ADVERTISEMENT
CJP આંદોલન વચ્ચે શાહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા, જિતેન્દ્ર સિંહ અને નીતિન નવીન ઉપસ્થિત છે.
ADVERTISEMENT
બાંસુરી સ્વરાજે કહ્યું કે વિરોધ કરનારાઓએ વાતચીતનું વચન આપ્યું
ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે દાવો કર્યો હતો કે વિરોધ કરનારાઓએ શરૂઆતમાં સરકાર સાથે વાતચીતની માંગ કરી હતી, જેના પગલે તેમને તરત જ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળવાની તક આપવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે વાતચીત દરમિયાન વિરોધ પ્રદર્શન નહીં કરવાની ખાતરી આપવા છતાં, બાદમાં ખોટી વાતો અને નકલી સમાચાર ફેલાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સંસદમાં બોલવાનો મોકો ન મળતા અકળાયા અખિલેશ યાદવ, કહ્યું ''અમારું શું?''
લોકસભાના સ્પીકર પર ભડક્યા અખિલેશ યાદવ
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસ અને ભાજપના સાંસદોને બોલવાની તક આપી, પરંતુ સમાજવાદી પાર્ટીને આ તક આપવામાં આવી નહીં. આ બાબતે સ્પીકર પર અખિલેશ યાદવ ભડક્યા હતા.
કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર
ચોમાસુ સત્રના ત્રીજા દિવસે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર પેપર લીકના મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. જોકે, લોકસભાની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે, ગૃહની બેઠક બપોરે 2 વાગ્યા પછી ફરી મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.