બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:46 AM, 7 June 2026
Haryana Scam: હરિયાણા અને ચંદીગઢમાં સરકારી વિભાગો સાથે જોડાયેલ ₹661 કરોડના કથિત ફંડ કૌભાંડની તપાસના સંદર્ભમાં સીબીઆઇએ ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી-એનસીઆરમાં એક સાથે દરોડા પાડ્યા, જેમાં અનેક મહત્વના દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને મિલકતના રેકોર્ડ જપ્ત કર્યા. તપાસ એજન્સીને સરકારી અધિકારીઓ, બેંક કર્મચારીઓ અને એક ખાનગી કંપની વચ્ચે સાંઠગાંઠની શંકા છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે ₹661 કરોડના સરકારી ભંડોળના કથિત ઉચાપતની મોટી તપાસ શરૂ કરી છે. ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી-એનસીઆરમાં છ સ્થળોએ દરોડા પાડ્યા. આ કેસ આઇડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ બેંક સાથે સંકળાયેલા વ્યવહારો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.
સીબીઆઇએ હરિયાણા સરકારીના વરિષ્ઠ અધિકારીઓ, નોઇડા સ્થિત વિપમ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરના પરિસર પર દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીને શંકા છે કે સરકારી અધિકારીઓ અને બેંક કર્મચારીઓએની મિલિભગતથી સરકારી રકમના ખાતાનું સંચાલન કરવામાં આવ્યુ, ભંડોળ ટ્રાન્સફર કરાયું અને ત્યારબાદ ગેરકાયદે લાભ માટે તેમને ડાયવર્ટ કરવામાં આવ્યુ.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / રસોડાનું બજેટ ખોરવાયું: આજથી ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં થયો રૂ. 29 નો વધારો
ADVERTISEMENT
સીબીઆઈના અનુસાર આ કથિત કૌભાંડથી હરિયાણા સરકારના આઠ વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના બે વિભાગો પ્રભાવિત થયા હતા. આમાં ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચંદીગઢ રિન્યુએબલ એનર્જી એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટી (CREST ચંદીગઢ)નો સમાવેશ થાય છે. તપાસ એજન્સીનો આરોપ છે કે સરકારી ભંડોળનો દુરુપયોગ એક સુનિયોજિત ષડયંત્રના ભાગ રૂપે કરવામાં આવ્યો હતો, જેમાં બેંક અધિકારીઓ અને જાહેર સેવકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT