બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:26 PM, 16 June 2026
ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ 14 જૂને મુંબઈમાં આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે. માત્ર 22 વર્ષની ઉંમરે તેમણે આ પગલું ભરતા તેમના ચાહકો અને ટીવી જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. સંચિતાના નિધન બાદ તેમની નજીકની મિત્ર અને અભિનેત્રી ઇન્દ્રાક્ષી કાંજીલાલે સંચિતાના સહ-અભિનેતા ઉજ્જ્વલ શર્મા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ઇન્દ્રાક્ષીના જણાવ્યા અનુસાર, 'સાજન ઘર' શોમાં સાથે કામ કરતી વખતે ઉજ્જ્વલ શર્માએ સંચિતાને માનસિક રીતે હેરાન કરી હતી.
ADVERTISEMENT
મીડિયા સાથેની વાતચીતમાં ઇન્દ્રાક્ષીએ જણાવ્યું કે ઉજ્જ્વલે સંચિતા પાસેથી પૈસા ઉધાર લીધા હતા. જ્યારે સંચિતાએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઇન્દ્રાક્ષીનો દાવો છે કે ઉજ્જ્વલે સંચિતાનું અપમાન કર્યું હતું અને તેને ધમકીઓ પણ આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે તેમની પાસે ઉજ્જ્વલ અને સંચિતા વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ્સ પણ છે, જે આ દાવાઓને સમર્થન આપી શકે છે.
ADVERTISEMENT
ઇન્દ્રાક્ષીના કહેવા મુજબ સંચિતાએ આ મામલે શોના નિર્માતાઓ અને સંબંધિત અધિકારીઓને પણ જાણ કરી હતી. જોકે, કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા તેણે આખરે શો છોડવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
સંચિતાના નિધન બાદ સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે ઉજ્જ્વલ શર્માએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.તેમણે જણાવ્યું કે તેઓ અને સંચિતા ક્યારેય રિલેશનશિપમાં નહોતા. તેમના કહેવા મુજબ, સંચિતા કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધમાં હતી અને પોતાના પૂર્વ બોયફ્રેન્ડને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કુમકુમ ભાગ્ય ફેમ એક્ટ્રેસે કર્યો આપઘાત, આઘાતમાં આવ્યાં ચાહકો
ADVERTISEMENT
ઇન્દ્રાક્ષીએ ઉજ્જ્વલના આ નિવેદનનો વિરોધ કરતાં કહ્યું કે તેમણે સંચિતાના અંગત જીવન વિશે તો વાત કરી, પરંતુ સંચિતાને થયેલી માનસિક હેરાનગતિ અંગે કંઈ જણાવ્યું નથી. તેમના જણાવ્યા અનુસાર, સંચિતા લાંબા સમયથી તેમની મિત્ર હતી અને તે ડિપ્રેશનમાં પણ નહોતી તેમજ કોઈ સંબંધને લઈને પણ પરેશાન નહોતી.
ADVERTISEMENT
હાલ આ સમગ્ર મામલે અનેક દાવા અને પ્રતિદાવા થઈ રહ્યા છે. શું સાચું છે અને શું ખોટું, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ નાની ઉંમરે એક ઉભરતી અભિનેત્રીનું આ રીતે દુનિયાને અલવિદા કહેવું મનોરંજન જગત માટે મોટી ક્ષતિ માનવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.