બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સાળંગપુર મંદિર કોપીરાઈટ-ટ્રેડમાર્ક વિવાદ, ભક્તોએ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો
Last Updated: 07:41 PM, 14 June 2026
ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા લેવામાં આવેલા કોપીરાઈટ અને ટ્રેડમાર્ક સંબંધિત નિર્ણયને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ભક્તો આ નિર્ણયને મંદિરના વારસા અને પવિત્રતાના રક્ષણ માટે જરૂરી ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આ નિર્ણય સામે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. જોકે મંદિર સાથે જોડાયેલા ભક્તોનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી મંદિરના નામનો ઉપયોગ કરીને ઓનલાઈન છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા હતા, જેના કારણે આ પ્રકારનું પગલું લેવું જરૂરી બની ગયું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભક્તોના જણાવ્યા મુજબ કેટલાક લોકો અને વેબસાઇટો દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિરના નામે ઉતારા, પ્રસાદ, દાન અને અન્ય ધાર્મિક સેવાઓના નામે લોકોને ગેરમાર્ગે દોરી છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો મળી રહી હતી. આવા બનાવોને રોકવા અને ભક્તોના હિતોની સુરક્ષા કરવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોપીરાઈટ અને ટ્રેડમાર્કનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો માને છે કે આ નિર્ણય મંદિરની ઓળખ જાળવી રાખવા તેમજ શ્રદ્ધાળુઓને છેતરપિંડીથી બચાવવા માટે અત્યંત જરૂરી છે.
ADVERTISEMENT
દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. દેશ-વિદેશમાંથી આવતા ભક્તો માટે આ મંદિર આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મંદિરના નામનો દુરુપયોગ ન થાય અને તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો આ પગલાને સકારાત્મક દિશામાં લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
એક ઐતિહાસિક અને અનોખી પહેલ હેઠળ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ સારંગપુરમાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે તેના ધાર્મિક અને આધ્યાત્મિક વારસાને કાનૂની રક્ષણ પૂરું પાડ્યું છે. હવે સારંગપુર હનુમાનજી મહારાજના નામ, દૈવી સ્વરૂપો, છબીઓ અને આધ્યાત્મિક ઓળખનો ઉપયોગ ટ્રસ્ટની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા વ્યવસાયિક હેતુ માટે કરી શકાશે નહીં. મંદિર ટ્રસ્ટે કોપીરાઈટ અને ટ્રેડમાર્ક દ્વારા આ સમગ્ર વારસાને સુરક્ષિત બનાવ્યો છે. દેશમાં આ પ્રકારની પહેલ પ્રથમ વખત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
મંદિર ટ્રસ્ટ દ્વારા આ પહેલ બાદ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ પગલું માત્ર કાનૂની સુરક્ષા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને આધુનિક કાનૂની માળખા હેઠળ સુરક્ષિત રાખવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. સારંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટના સ્વામી વિવેક સાગરે જણાવ્યું હતું કે હનુમાનજીનું નામ, સ્વરૂપ અને આધ્યાત્મિક ઓળખને કોપીરાઈટ અને ટ્રેડમાર્ક હેઠળ સુરક્ષિત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા હનુમાનજીને સમર્પિત છે અને તેનો મુખ્ય હેતુ શ્રદ્ધા, પરંપરા અને ધાર્મિક વારસાનું રક્ષણ કરવાનો છે.
ADVERTISEMENT
સારંગપુરમાં આવેલું શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો ભક્તો માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ બેઠકનું છે અને તેની સૌથી વિશિષ્ટ ઓળખ એ છે કે અહીં હનુમાનજીને મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ એકમાત્ર મુખ્ય મંદિર છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અથવા શ્રીકૃષ્ણની મૂર્તિ મુખ્ય દેવતા તરીકે સ્થાપિત નથી.
તાજેતરના સમયમાં મંદિર ખાતે 54 ફૂટ ઊંચી ભવ્ય હનુમાન પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જેના કારણે મંદિરની પ્રતિષ્ઠામાં વધુ વધારો થયો છે. આ વિશાળ પ્રતિમાએ દેશ-વિદેશના ભક્તો અને પ્રવાસીઓને ખાસ આકર્ષ્યા છે. BAPSના આત્મતૃપ્ત સ્વામીના જણાવ્યા અનુસાર પૂજ્ય સંત ગોપાલાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. આ જ કારણ છે કે મંદિરને આધ્યાત્મિક શક્તિ, ભક્તિ અને ચમત્કારિક શ્રદ્ધાના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.
ધાર્મિક વારસાને કોપીરાઈટ અને ટ્રેડમાર્ક દ્વારા સુરક્ષિત રાખવાની આ પહેલ માત્ર સાળંગપુર મંદિર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં દેશની અન્ય ધાર્મિક સંસ્થાઓ માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે છે. હાલ આ નિર્ણયને લઈને ચર્ચા ચાલી રહી છે અને તેના અમલ તેમજ ભવિષ્યમાં થનારી અસરો પર સૌની નજર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.