બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ધર્મ / અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ન ખરીદી શકો તો ઘરે લાવો 5 શુભ વસ્તુ, લક્ષ્મી માતા થશે પ્રસન્ન

ધર્મ / અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ન ખરીદી શકો તો ઘરે લાવો 5 શુભ વસ્તુ, લક્ષ્મી માતા થશે પ્રસન્ન

Last Updated: 01:54 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akha Teej 2024: આ વર્ષે અખાત્રીજ 10 મે 2024એ ઉજવવામાં આવશે. એવું કહેવાય છે કે જે પણ અખાત્રીજ પર માતા લક્ષીમીની આરાધના કરે છે તેમને અક્ષય ફળોની પ્રાપ્તિ થાય છે અને તેમના ઘરે-સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

હિંદૂ ધર્મમાં અખાત્રીજને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસને બિલકુલ દીવાળી અને ધનતેરસની જેમ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ શુભતાનું પ્રતીક છે. આજ કારણ છે કે આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.

lkshmi

આ વર્ષે અખાત્રીજ 10 મે 2024એ ઉજવવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે જે પણ અખાત્રીજની તિથિ પર માતા લક્ષ્મીની આરાધના કરે છે તેમને અક્ષય ફળોની પ્રાપ્તિ થાય છે અને તેમના ઘરે સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. અખાત્રીજ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ પર ઉજવવામાં આવે છે. આ દિવસે માંગલિક કાર્ય કરવા શુભ માનવામાં આવે છે અને લોકો અખાત્રીજ પર સોના-ચાંદીની ખરીદી પણ કરે છે.

અખાત્રીજ પર ખરીદો આ 5 વસ્તુઓ

અખાત્રીજના દિવસે મોટભાગે લોકો સોનું, ચાંદી, સંપત્તિ કે પછી ગાડી ખરીદે છે. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ધનનો ભંડર ભરેલો રહે છે. જો તમે અખાત્રીજ પર સોનું કે ચાંદી ન ખરીદી શકો તો આજે અમે તમને જણાવીશું કે એવી કઈ પાંચ વસ્તુઓ છે જેને આ દિવસે ઘરે લાવવી શુભ માનવામાં આવે છે.

matlu-1

માટલુ

જો તમે અખાત્રીજના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તમે આ ખાસ દિવસે માટીનો ઘડો ખરીદી શકો છો. માટીનો ઘટો ખરીદવો આ દિવસે શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસાની તંગી નથી રહેતી.

vasan

પીતળ કે તાંબાના વાસણ

અખાત્રીજ પર તમે ઘરે પીતળ કે તાંબાના વાસણ પણ લાવી શકો છો. આ દિવસે તાંબાના વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે. તેનાથી માતાજીની કૃપા તમારા પર બની રહે છે.

કોડી

અખાત્રીજ પર કોડી ખરીદવી પણ તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. માનવામાં આવે છે કે કોડી ખરીદીને માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

rai

પીળા સરસવ

અખાત્રીજ પર ખાસ પીળા સરસવ (Yellow Mustard) ઘરે લાવવા પણ ખૂબ જ શુભ મનાવામાં આવે છે. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે.

વધુ વાંચો: માત્ર હાડકાં જ નહીં! કેલ્શિયમની ઉણપથી પણ થઇ શકે છે ગંભીર બીમારીઓ, ઓળખી લેજો આ 6 લક્ષણો

jau

જવ

અખાત્રીજ પર સોનું ખરીદી ન શકો તો જવ ખરીદીને પણ પુણ્ય હાસિલ કરી શકો છો. આ અન્નને ધરતી માતાએ આપેલું સૌથી પહેલું અન્ન માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ