બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
VTV / ધર્મ / અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ન ખરીદી શકો તો ઘરે લાવો 5 શુભ વસ્તુ, લક્ષ્મી માતા થશે પ્રસન્ન
Last Updated: 01:54 PM, 1 May 2024
હિંદૂ ધર્મમાં અખાત્રીજને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસને બિલકુલ દીવાળી અને ધનતેરસની જેમ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ શુભતાનું પ્રતીક છે. આજ કારણ છે કે આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ વર્ષે અખાત્રીજ 10 મે 2024એ ઉજવવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે જે પણ અખાત્રીજની તિથિ પર માતા લક્ષ્મીની આરાધના કરે છે તેમને અક્ષય ફળોની પ્રાપ્તિ થાય છે અને તેમના ઘરે સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. અખાત્રીજ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ પર ઉજવવામાં આવે છે. આ દિવસે માંગલિક કાર્ય કરવા શુભ માનવામાં આવે છે અને લોકો અખાત્રીજ પર સોના-ચાંદીની ખરીદી પણ કરે છે.
ADVERTISEMENT
અખાત્રીજ પર ખરીદો આ 5 વસ્તુઓ
અખાત્રીજના દિવસે મોટભાગે લોકો સોનું, ચાંદી, સંપત્તિ કે પછી ગાડી ખરીદે છે. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ધનનો ભંડર ભરેલો રહે છે. જો તમે અખાત્રીજ પર સોનું કે ચાંદી ન ખરીદી શકો તો આજે અમે તમને જણાવીશું કે એવી કઈ પાંચ વસ્તુઓ છે જેને આ દિવસે ઘરે લાવવી શુભ માનવામાં આવે છે.
માટલુ
જો તમે અખાત્રીજના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તમે આ ખાસ દિવસે માટીનો ઘડો ખરીદી શકો છો. માટીનો ઘટો ખરીદવો આ દિવસે શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસાની તંગી નથી રહેતી.
પીતળ કે તાંબાના વાસણ
અખાત્રીજ પર તમે ઘરે પીતળ કે તાંબાના વાસણ પણ લાવી શકો છો. આ દિવસે તાંબાના વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે. તેનાથી માતાજીની કૃપા તમારા પર બની રહે છે.
કોડી
અખાત્રીજ પર કોડી ખરીદવી પણ તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. માનવામાં આવે છે કે કોડી ખરીદીને માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
પીળા સરસવ
અખાત્રીજ પર ખાસ પીળા સરસવ (Yellow Mustard) ઘરે લાવવા પણ ખૂબ જ શુભ મનાવામાં આવે છે. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે.
વધુ વાંચો: માત્ર હાડકાં જ નહીં! કેલ્શિયમની ઉણપથી પણ થઇ શકે છે ગંભીર બીમારીઓ, ઓળખી લેજો આ 6 લક્ષણો
જવ
અખાત્રીજ પર સોનું ખરીદી ન શકો તો જવ ખરીદીને પણ પુણ્ય હાસિલ કરી શકો છો. આ અન્નને ધરતી માતાએ આપેલું સૌથી પહેલું અન્ન માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT