બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
Last Updated: 09:16 AM, 1 May 2024
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે સારી નોકરી હોય અને સમયાંતરે એ નોકરીમાં તેનું પ્રમોશન થાય. જો તમે તમારી ઓફિસમાં ઈમાનદારીથી કામ કરો છો અને છતાં પણ તમને પ્રમોશન નથી મળતું તો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ઉપાયો અપનાવીને પ્રમોશન મેળવી શકો છો. આ માટે તમારે તમારા ટેબલ પર કેટલીક વસ્તુઓ રાખવી પડશે. શું છે તે વસ્તુઓ, ચાલો જાણીએ..
ADVERTISEMENT
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારું પ્રમોશન લાંબા સમયથી અટકેલું છે અને તમે ઇન્ક્રીમેન્ટની સાથે પ્રમોશન મેળવવા માંગો છો તો તેના માટે તમે તમારા ટેબલ પર સોનાના સિક્કાઓથી ભરેલું શિપ એટલે કે જહાજ રાખી શકો છો. આનાથી તમને પ્રમોશન તો મળશે જ પરંતુ તેનાથી તમારો પગાર પણ વધશે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઓફિસના ટેબલ પર વાંસનો છોડ રાખો છો તો તમારું ભાગ્ય ચમકશે અને તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જો કોઈ વ્યક્તિ દ્વારા વાંસનો છોડ ભેટમાં આપવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા તમારા ઓફિસના ડેસ્ક પર અવશ્ય રાખવી જોઈએ. તેનાથી તમે શાંતિનો અનુભવ કરશો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન વિઘ્નહર્તા ગણેશની મૂર્તિ ઓફિસના ડેસ્ક પર રાખો. જો તમે ભગવાન ગણેશની મૂર્તિ તમારા ડેસ્ક પર રાખો છો, તો તમને ક્યારેય કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી અને તમને પ્રગતિ પણ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ટેબલ પર પૂરતો પ્રકાશ હોય તેનું ખાસ ધ્યાન રાખો કારણ કે જો તમારા ટેબલને અંધારામાં રાખવામાં આવે તો તે તમારા વિસ્તારમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધારી શકે છે અને તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT