બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Today is Ram Navami: Do not do these 4 things even by mistake on this day otherwise there will be hindrances in progress.
Last Updated: 10:11 AM, 17 April 2024
સનાતન ધર્મમાં ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમનું બિરુદ આપવામાં આવ્યું છે. વૈદિક કેલેન્ડર મુજબ, રામ નવમીનો તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે રામનવમી 17 એપ્રિલ 2024 બુધવારના રોજ ઉજવવામાં આવી રહી છે. કેટલીક એવી વસ્તુઓ છે જે દરેક ભક્તે રામ નવમીના દિવસે ન કરવી જોઈએ નહીં તો તેની ખરાબ અસર જીવનમાં જોવા મળી શકે છે, તો ચાલો જાણીએ..
ADVERTISEMENT
1 ફળ અને ફૂલ
રામનવમીનો ઉત્સવ દેશભરમાં હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં આ દિવસનું ખૂબ મહત્વ છે. ભૂલથી પણ ભગવાન રામની પુજાના સમયે વાસી અને કરમાયેલા ફળ અને ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ.
ADVERTISEMENT
2 તામસિક ખોરાકનું સેવન ન કરવું.
રામનવમીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ તામસિક ખોરાક જેમ કે લસણ, ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ નહી તો ભગવાન રામ ગુસ્સે થઈ શકે છે અને તમારા જીવનમાં આવનાર સુખ-સમૃદ્ધિ સમાપ્ત થઈ શકે છે.
ADVERTISEMENT
3 બુઝાયેલ દીવાને ન પ્રગટાવો
રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા દરમિયાન જો કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો ભૂલથી પણ તેને ફરીથી ન પ્રગટાવવો. તેના બદલે બીજો નવો દીવો પ્રગટાવો. આવું ન કરવાથી તમારું કરેલું કામ બગડી શકે છે.
ADVERTISEMENT
4 ઝઘડો ન કરવો
રામનવમીના દિવસે ભગવાન રામ માટે વ્રત કરવામાં આવે છે. આ દિવસે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડો કરવાથી બચવું નહી તો તમને વ્રતનું ફળ નહી મળે અને તમારી ઈચ્છા અધુરી રહી જશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.