બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સૌરાષ્ટ્ર કચ્છમાં માત્ર સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે થતી સર્જરી ‘'એઓર્ટીક ડીસેકશન’’
Last Updated: 09:26 PM, 13 December 2025
એઓર્ટા ઍટલે કે મહાધમની કે જે હદય માંથી પૂરા શરીરને શુદ્ધ લોહી પૂરું પાડતી ધમની એઓર્ટીક ડીસેકશન એ આ મહાધમનીમાં થતો અતિ ગંભીર પ્રકાર નો રોગ છે, કે જેમાં આ હદયની નસ ની દીવાલ વચ્ચેથી ફાટી જાય છે, આ ફાટ કઈ જગ્યાએ થી ચાલુ થાઈ છે એ મુજબ અને Type-A કે Type-B માં વિભાજિત કરવામાં આવે છે. આમાંનો Type-A પ્રકાર છે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે જો તેની સમયસર સર્જરી કરવામાં ન આવે.
ADVERTISEMENT
વિવિધ ડેટા કહે છે કે જેને આ પ્રકારે નસમાં ફાટ પડે તો તેમાંથી ૨૫% દર્દીઓ સ્થળ પર કે હોસ્પિટલ પર સારવાર પહેલા જ મૃત્યુ પામે છે. બાકીના દર્દીઓમાં પણ બીજા ૨૫% દર્દીઓ પહેલા ૨૪ કલાકમાં મૃત્યુ થવાની શક્યતા હોય છે અને દર એક કલાકે મૃત્યદરમાં ૧% નો વધારો થાય છે આમ આ રોગનું સમયસર નિદાન અને સારવાર અત્યંત જરૂરી બને છે.

ADVERTISEMENT
આ રોગ થવાની શક્યતા હાયપરટેન્સન (બ્લડ પ્રેસર) કે હદયના એઓર્ટીક વાલ્વનાં દર્દી કે એનયુરિસમ (મહાધમની ની મોરલી)ના દર્દીઓમાં વધારે હોય છે.
આ રોગમાં મુખ્યત્વે છાતીમાં અતિ તીવ્ર દુખાવો, બરડા માં થતો દુખાવો કે પેરેલીસીસ (પક્ષઘાત)ની અસર, સખત પેટનો દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જે જણાતા તાત્કાલિક ડોક્ટરની સલાહ અને તપાસ અત્યંત જરૂરી બને છે, આ રોગના ચોક્કસ નિદાન માટે સીટી સ્કેન એન્જીઓગ્રાફી અત્યંત જરૂરી બને છે જે આ એઓર્ટીક ડીસેકશન ક્યાંથી શરૂ થાય છે તેમજ ક્યાં સુધી ફેલાયેલ છે ઉપરાંત દરેક અવયવની લોહીની નસ કેવી રીતે નિકળે છે તે વિષેની ચોક્કસ માહિતી આપે છે.
ADVERTISEMENT

જે ઉપર થી એઓર્ટીક સ્પેશિયાલિસ્ટ આગળની સારવાર પ્લાન કરે છે આમાં જો Type-A પ્રકારનું ડીસેકસન હોય તો Emergency Surgery જ એનો ચોક્કસ ઉપાય હોય છે.
ADVERTISEMENT

આ પ્રકારનાં રોગોના નિદાન અને સારવાર માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં માત્ર સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે નિષ્ણાંત ડોક્ટર્સ ની ટીમ ૨૪x ૭ હાજર છે. ફક્ત છેલ્લા એક મહિનામાં જ સિનર્જી હોસ્પિટલ ખાતે આ પ્રકારનાં પાંચ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓ ની સફળ સર્જરી કરવામાં આવેલ છે, તદ્ઉપરાંત અત્યાર સુધીમાં ત્રીસથી વધારે સફળ સર્જરી નું શ્રેય પ્રાપ્ત કરેલ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કેન્દ્રીય વિદ્યાલયોમાં પડી 2499 જગ્યાઓની ભરતી, જલદી કરો અરજી, આ દિવસે થશે પરીક્ષા
આ જટિલ સર્જરી જેને સફળ બનાવવા માટે સિનર્જી હોસ્પિટલ ના મુખ્ય કર્ડીયોથોરાસીક અને વાસ્ચુલર સર્જન ડોકટર એવા ડો. માધવ ઉપાધ્યાય, ડો. દિવ્યેશ રાઠોડ તથા કાર્ડીયાક અનેસ્થેટીક ડો ઉદ્ધવ નાયક અને ડો. અભિષેક ભુવા તેમજ અન્ય સાત કર્ડીયોલોજીસ્ટ ની ટીમ દ્વારા આ સર્જરી સફળ બનાવામાં આવેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.