બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સિંગલ યુઝ પ્લાસ્ટિક SUP શું છે?
સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક ફક્ત એક જ વાર વાપરીને તેને ફેકી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની થેલીઓ, સ્ટ્રો, કોફીની ચમચીઓ, સોડા અને પાણીની બોટલો અને મોટા ભાગના ફૂડ પેકેટો સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉદાહરણ છે.
ADVERTISEMENT
કેમ SUP ચિંતાજનક છે?
વૈશ્વિક સ્તરે ઉત્પાદિત પ્લાસ્ટીકમાંથી ફક્ત ૧૩% પ્લાસ્ટિક રીસાઈકલ થાય છે. પ્લાસ્ટિક પેટ્રોલીયમ પદાર્થોમાંથી બનતું હોવાથી તેનું રીસાઈકલિંગ કરવું અઘરું અને ખર્ચાળ છે. આ નવું બનેલું પ્લાસ્ટિક બહુ ઓછી પ્રોડક્ટ બનાવા માટે વાપરી શકાય છે. પેટ્રોલીયમથી બનેલું પ્લાસ્ટિક બાયોડીગ્રેડેબલ નથી. અર્થાત તે કુદરતી રીતે માટીમાં ભળી નથી જતું. આ પ્લાસ્ટિક મોટાભાગે જમીનમાં દાટી દેવાય છે અથવા તેને સમુદ્રમાં નાખી દેવામાં આવે છે. વર્ષો પછી તે ઝીણા ટુકડાઓમાં વિભાજીત થાય છે. આ વિભાજન સમયે અનેક ઝેરી રસાયણો ઉત્પન્ન થાય છે. આ રસાયણો આપણા ભોજન અથવા પાણીમાં ભળે છે.
ADVERTISEMENT
અત્યંત ચિંતાજનક બાબત એ છે કે આ રસાયણો માનવશરીરણા લોહીમાંથી પણ મળી આવવાના શરુ થઇ ગયા છે. આ રસાયણો કેન્સર, વ્યંધત્વ, જન્મ સમયે ખોડખાપણ, રોગપ્રતિકારક શક્તિની કમી વગરે અનેક રોગો માટે જવાબદાર છે.
ભારતમાં શું સ્થિતિ છે?
ભારતમાં પ્લાસ્ટિકે ખુબ ગંભીર સંકટ ઉભું કર્યું છે. વિશ્વમાં દરિયામાં ડમ્પ થતા પ્લાસ્ટીકના કુલ જથ્થાનો ૬૦% જથ્થો ભારત ઉત્સર્જીત કરે છે. પ્લાસ્ટીકના કુલ ઉપયોગનો ૪૨% ઉપયોગ પેકેજીંગ માટે થાય છે. ભારતમાં દરરોજ આશરે ૨૬,૦૦૦ ટન પ્લાસ્ટિક કચરો બને છે અને વાર્ષિક ૯૦ લાખ ટન વાર્ષિક કચરો બને છે. ભારતનું પાડોશી દેશ બાંગ્લાદેશ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જેણે SUP ઉપર પ્રતિબંધ મુક્યો છે.
ADVERTISEMENT

ભારતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા મુદ્દે પડકારો
ADVERTISEMENT
ભારતની SUP પ્રતિબંધ કરવાની કવાયત
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ મીટમાં ભારતના ઈરાદા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ભારત SUPને અલવિદા કરી દેશે. આ અંગે સુત્રોની જાણકારી અનુસાર મંત્રીઓની એક બેઠકમાં PPT પ્રેઝન્ટેશન સાથે ૮ મંત્રાલયોને ૨જી ઓગસ્ટથી ભારતને SUP પ્રતિબંધ માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ અંતર્ગત
કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસના પૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે આ પ્રતિબંધની ટીકા કરતા જણાવ્યું હતું કે દેશમાં ચાલી રહેલી સમસ્યાઓને ઢાંકી દેવા આ પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. પ્લાસ્ટીકના પ્રતિબંધથી નબળા અર્થતંત્રને વધુ ફટકો પડે તેમ છે. આ પ્રતિબંધ વધુ રોજગાર છીનવી લેશે. તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યાનું નીરાકરણ કરવા પ્લાસ્ટિકના પ્રતિબંધ કરતા પ્લાસ્ટિકના રિસાઈક્લિન્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.