એક યુઝરે રાજ કુંદ્રાને તેનાં લગ્ન પર સવાલ કરતા પૂછ્યું કે તમે અને શિલ્પા સાથે છો તે એક દેખાડો છે? જવાબમાં આપ્યા વગર રાજ કુંદ્રા રહી ન શક્યા અને તેમણે લખ્યું કે આ સવાલ ગમ્યો. પ્રેમને કોઈ કાયદો નથી અને તેનો દેખાવો નથી કરી શકાતો. 22 નવેમ્બરનાં રોજ 13 મી વર્ષગાંઠ છે. શુભેચ્છાઓ આપવી ન ભૂલતા.
ટ્વીટર પર એક યુઝરે રાજ કુંદ્રાને પૂછ્યો સવાલ
શું તમે અને શિલ્પા સાથે છો તે એક દેખાડો છે?
રાજ અને શિલ્પાનાં શુભેચ્છકો જવાબથી પ્રભાવિત
જ્યારથી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસમાં આવ્યું છે. ત્યારથી પતિ-પત્નિનાં સબંધ પર લોકો ટીપ્પણીઓ કરી રહ્યા છે. લોકોએ શિલ્પા તેમજ રાજ કુંન્દ્રાના ડિવોર્સ સુધીની અફવા પણ ફેલાવી દીધી હતી. રાજ કુંન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ આ મામલે મૌન સેવ્યું હતું. એવું લાગી રહ્યું છે કે લગ્ન જીવન પર થનારી ટીપ્પણીઓથી રાજ કુંદ્રા થાકી ચૂક્યો છે. એટલા માટે જ તેણે ટ્રોલરના ટ્વિટનો જવાબ આપ્યો.
Haha love this question. Love is no act and cannot be staged. 13th year anniversary on 22nd November don’t forget to wish us ;) ❤️🧿 #AskRajhttps://t.co/7gwq79PvV6
શું શિલ્પા-રાજ એકબીજાની સાથે છે?
એક યૂઝરે #AskRaj રાજુ કુંદ્રાને એના લગ્ન જીવન પર પ્રશ્ન કરતા કહ્યું કે શું તમે શિલ્પાની જોડે છો તે એક માત્ર દેખાડો છે? જવાબ આપ્યા વગર રાજ કુંદ્રા રહી ન શક્યા. તેમણે લખ્યું કે હા..હા..હા... આ સવાલ મને ગમ્યો. પ્રેમનો કોઈ કાયદો નથી અને તેનો દેખાવો પણ કરી શકાતો નથી. 22 નવેમ્બરનાં રોજ તેમની 13 મી વર્ષગાંઠ પર અમને શુભેચ્છા પાઠવવાનું ભૂલતા નહીં. રાજ અને શિલ્પાનાં શુભેચ્છકો આ જવાબથી પ્રભાવિત છે.
If she doesn’t keep her word we must plan her swayamvar next year! 😁🧿🥳😇 https://t.co/K7wmqsjvrn
પોર્ન કેસમાં ફસાયા હતા રાજ
રાજ કુંદ્રા હવે પોર્ન કેસ પર પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે રાજ કુંદ્રાને સોશ્યિલ મીડિયા, અને પબ્લીકથી દૂર રહેતા હતા. પછી જેલની બહાર આવ્યાના થોડા મહિના બાદ રાજ ધીરે ધીરે જાહેરમાં દેખાવાનું અને સોશ્યિલ મીડીયા પ્રવૃતિને શરુ કરી. 21 ડિસેમ્બર 2021 નાં રોજ રાજ કુંદ્રાનું નામ પોર્નગ્રાફી કેસમાં સામે આવ્યું હતું. તેમજ તેમણે ધણો સમય જેલમાં વિતીવવો પડ્યો હતો. પત્ની શિલ્પા શેટ્ટીએ પતિ પર આવેલી મુસીબતને દૂર કરવા માટે ઘણાં મંદિરનાં ચક્કર લગાવ્યા હતા. મુશ્કેલીના સમયમાં મજબૂત ઢાલ બનીને પતિ રાજ કુંદ્રા સાથે ઉભી રહી હતી. રાજે પહેલેથી જ તેના ઉપર લાગેલા આરોપોને ખોટા કહી પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું. આશા છે કે કાયદો ન્યાય કરશે અને સાચી હકીકત જલ્દી સામે આવશે.