ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Rishi Kapoor Lashed Out When No Young Actor Attended Vinod Khanna Funeral in 2017 Expressed His Anguish on Social Media
ADVERTISEMENT
રિષિ કપૂરને લઇને એવી ઘણી વાત છે જે લોકો યાદ કરી રહ્યા છે જે તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર કહી હતી. 3 વર્ષ પહેલા દિગ્ગજ એક્ટર વિનોદ ખન્નાનું નિધન થયુ હતુ તે વાત પર રિષિ કપૂર ભડક્યા હતા અને વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં કોઇ નવી જનરેશનના એક્ટર શામેલ થયા ન હતા, આ વાતને લઇને ટ્વિટર પર લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT

રિષિ કપૂરે ટ્વિટ કરીને લખ્યુ કે, ''શરમજનક, આ જનરેશનનો કોઇ પણ સ્ટાર વિનોદ ખન્નાની અંતિમ યાત્રામાં શામેલ ના થયો, એ પણ જ્યારે તેમની સાથે કામ કર્યુ હોય તેમ છતાં પણ..ઇજજ્ત કરવાનું શીખવુ જોઇએ. '' આ સિવાય રિષિ કપૂરે લખ્યુ કે, ''આવું કેમ ?મારા પછી પણ.. જ્યારે હું મરી જઇશ, મને પણ આ વાત માટે તૈયાર રહેવુ પડશે. કોઇ મને કાંધ આપવા નહી આવે. આજની જનરેશનના સ્ટાર્સથી દુખી છું.''
ADVERTISEMENT
જોકે સંયોગ પણ એવા થયા કે રિષિ કપૂરના અંતિમ સંસ્કારમાં પણ લૉકડાઉનને કારણે માત્ર 24 લોકો જ શામેલ થઇ શક્યા, જેમાં તેમના પરિવારની સાથે સાથે કેટલાક નજીકના સંબંધીઓ હતા.
સંકળાયેલા મુદ્દાઓ