હિંદી સિનેમાના વેતરન એક્ટર રિષિ કપૂરનું નિધન 30 એપ્રિલના થયું, જોકે આ વાતને એક અઠવાડિયાથી વધારે સમય થઇ ગયો છે, પરંતુ તેમને સતત યાદ કરવામાં આવી રહ્યા છે તે પછી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા જૂના વીડિયોઝ હોય કે તેમની કોઇ ફિલ્મ ટેલિવિઝન પર આવતી હોય.
રિષિ કપૂરને લઇને એવી ઘણી વાત છે જે લોકો યાદ કરી રહ્યા છે જે તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર કહી હતી. 3 વર્ષ પહેલા દિગ્ગજ એક્ટર વિનોદ ખન્નાનું નિધન થયુ હતુ તે વાત પર રિષિ કપૂર ભડક્યા હતા અને વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં કોઇ નવી જનરેશનના એક્ટર શામેલ થયા ન હતા, આ વાતને લઇને ટ્વિટર પર લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
રિષિ કપૂરે ટ્વિટ કરીને લખ્યુ કે, ''શરમજનક, આ જનરેશનનો કોઇ પણ સ્ટાર વિનોદ ખન્નાની અંતિમ યાત્રામાં શામેલ ના થયો, એ પણ જ્યારે તેમની સાથે કામ કર્યુ હોય તેમ છતાં પણ..ઇજજ્ત કરવાનું શીખવુ જોઇએ. '' આ સિવાય રિષિ કપૂરે લખ્યુ કે, ''આવું કેમ ?મારા પછી પણ.. જ્યારે હું મરી જઇશ, મને પણ આ વાત માટે તૈયાર રહેવુ પડશે. કોઇ મને કાંધ આપવા નહી આવે. આજની જનરેશનના સ્ટાર્સથી દુખી છું.''
જોકે સંયોગ પણ એવા થયા કે રિષિ કપૂરના અંતિમ સંસ્કારમાં પણ લૉકડાઉનને કારણે માત્ર 24 લોકો જ શામેલ થઇ શક્યા, જેમાં તેમના પરિવારની સાથે સાથે કેટલાક નજીકના સંબંધીઓ હતા.