મુંબઇના ચંદનવાડીમાં એક્ટર રિષિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેમનું પાર્થિવ શરીર પંચતત્વમાં વિલીન થઇ ગઇ. જોકે આ વચ્ચે બોલિવુડના એક્ટર રણબીર કપૂરની બહેન રિદ્ઘિમા કપૂર પોતાના પિતા રિષિ કપૂરના અંતિમ સંસ્કારમાં શામેલ ના થઇ શકી, કેમકે દિલ્હીથી મુંબઇ આવવાનુ કોઇ કારણોસર કેન્સલ કરવામાં આવ્યુ.
જોકે શુક્રવારે સવારે જ પરિવારની સાથે મુંબઇ આવવા માટે રવાના થઇ શકશે. જોકે આ અંગે કોઇ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી કે તે શુક્રવારે સવારે આવી શકશે કે નહી તે જોવાનું રહ્યુ.
ઉલ્લેખનીય છે કે, સાઉથ-ઈસ્ટ દિલ્હીના ડીસીપી આર પી મીનાએ કહ્યું હતું કે રિદ્ધિમાને તેના પતિ, દીકરી સાથે મુંબઈ આવવાની પરવાનગી આપવામાં આવી હતી,તેમને આજે (30 એપ્રિલ) સવારે 10.45 વાગે પાંચ લોકોને દિલ્હીથી મુંબઈ જવાની પરવાનગી આપવામાં આવી હતી.. હાલમાં ટ્રેન તથા ફ્લાઈટ્સ બંધ છે, જેથી બાય રૉડ જવાની પરમિશન મળી હતી, પરંતુ બીજી તરફ મુંબઇ પોલીસે લૉકડાઉનને કારણે આજે જ અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપી હતી. 3 વાગ્યા સુધી અંતિમ સંસ્કાર કરવાનું હોવાથી રિદ્ઘિમા તે સમય સુધી ના આવી શકે. પોલીસ વધારે રાહ ના જોઇ શકતી આજ કારણોસર દિકરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.
લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમતા બોલિવૂડ સ્ટાર રિષિ કપૂરનું આજે એટલે કે 30 એપ્રિલે સવારે 8.45 વાગે નિધન થયું હતું. અંતિમ સંસ્કાર આજે મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કાર 30 મિનિટમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યા હતાં. રિષિ કપૂરના અંતિમ સંસ્કાર ઈલેક્ટ્રીક શબગૃહમાં કરવામાં આવ્યા હતાં.
અંતિમ સંસ્કારમાંથી 24 લોકોની જ હાજર રહેવાની પરવાનગી મળી હતી