ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:21 PM, 4 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષનું ટીઝર રવિવારે રીલીઝ કરવામાં આવ્યું હતું. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર આ ફિલ્મને લઈને હવે મેકર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મના VFX પર સોશિયલ મીડિયા યુઝર્સ મીમ્સ શેર કરી રહ્યા છે. સૈફ અલી ખાનના રાવણનાં લુકને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. હવે આ વિવાદમાં હિંદુ મહાસભા અને બીજેપી પણ સામેલ થઇ ગયા છે.
Ravan was Brahmin, a scholar who composed “shiva tandav”.He had the knowledge of vedas.This pic of Saif Ali Khan is no where to Ravana. A South Indian Brahmin during those times would put kumkum on his forehead, this is a pic of “Khilji” the Taimur.#BoycottAdipurush pic.twitter.com/Qq1SalSw4U
— Virus Of Bollywood Gutter Wood Bahishkaar Trending (@virusofbolywood) October 4, 2022
ADVERTISEMENT
પૌરાણિક પાત્રો સાથે કોઈ ખેલ નહીં
આદિપુરુષની સ્ટોરી રામાયણ પર આધારિત છે. સૈફ અલી ખાન ફિલ્મમાં રાવણનું પત્ર ભજવી રહ્યો છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે સૈફનાં લુક પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મનાં જે પૌરાણિક ચરિત્રો છે, તેમની સાથે છેડછાડ સહન નહીં કરવામાં આવે. ચક્રપાણી મહારાજે કહ્યું કે ભગવાન શિવના અનન્ય ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં સૈફ અલી ખાનનું ચિત્રણ એ પ્રકારે કરવામાં આવ્યું છે, જેમ કે ઇસ્લામિક આતંકી ખિલજી અથવા ચંગેઝ ખાન અથવા ઔરંગઝેબ હોય, માથા પર નથી તિલક કે નથી ત્રિપુંડ, અમારા પૌરાણિક ચરિત્રો સાથે આવા ખેલ સહન નહીં કરી લેવામાં આવે.
ADVERTISEMENT
તુર્કીનો સરમુખત્યાર હોય શકે છે
બીજેપીના પ્રવક્તા માલવિકા અવિનાશે પણ રાવણનાં લુક પર આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે લંકાના રહેવાસી રાવણ એક શિવ ભક્ત હતા, જેમણે 64 કલાઓમાં મહારત હાંસેલ કરી હતી. વિજય જે વૈકુંઠની રક્ષા કરી રહ્યા હતા અને એક શ્રાપને કારણે રાવણનાં સ્વરૂપમાં અવતરિત થયા હતા. આ તુર્કીનો સરમુખત્યાર હોય શકે પણ રાવણ નથી. બોલીવુડ આપણા રામાયણ / ઈતિહાસને ખોટા પ્રકારે પેશ કરવાનું બંધ કરે. શું તમે ક્યારેય દિગ્ગજ એનટીરામારાવ વિષે સાંભળ્યું છે?
ADVERTISEMENT
What would you like to say about Saif Ali Khan's look?
— Suresh Mishra (@Sure5hMishra) October 4, 2022
is he looks like ravan or khilji
ADVERTISEMENT
ટીઝરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે
12 જાન્યુઆરી, 2023નાં રોજ આદિપુરુષ ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ થશે. ફિલ્મનું બજેટ 500 કરોડ જણાવવામાં આવે છે. આટલા ભારે બજેટ સાથે પણ આ ફિલ્મના ટીઝર તથા પોસ્ટરને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો નથી. ટીઝરનાં VFXને લોકો કાર્ટૂન ફિલ્મો સાથે સરખાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ