ભગવાન શ્રીરામનો જન્મ થતા અયોધ્યામાં ઘરે ઘરે આનંદ છવાયો હતો. આ દિવસે લોકો ખાસ ઉપવાસ કરે છે અને શ્રી રામની પૂજા વિધિ કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે
10એપ્રિલે ભગવાન રામનો જન્મ
ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીએ રામનો જન્મ
રામનવમીએ ભગવાન રામની ઉપાસના અપાવશે શ્રેષ્ઠ ફળ
ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમી ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 10 એપ્રિલે ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીએ થયો હતો. રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા અને સ્તુતિ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો તમે કોઈ કારણસર મંદિર ન જઈ શકો તો તમે ઘરે ભગવાન શ્રી રામની સ્તુતિ કરી શકો છો. આમ કરવાથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે. ત્યારે આવો જાણીએ રામ નવમીના દિવસે શું કરવું જોઈએ.
રામનવમીએ આ રીતે કરો પૂજા
રામ નવમીના દિવસે સવારે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા સ્થળ પર શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો. હવે રામ નવમીના વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન રામનો ગંગાજળથી અભિષેક કરો. બાદમાં ચોખા, ચંદન, ધૂપ, ગંધ વગેરેથી ભગવાન રામની પૂજા કરો. તેમની મૂર્તિને તુલસીનું પાન અને કમાલનું ફૂલ અને મોસંબીનું ફળ ચઢાવો. ઘરે બનાવેલા મીઠા ફળોનો ભોગ લગાવો, હવે રામ ચરિત માનસ, રામાયણ અને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. રામ સ્તુતિ પણ કર્યા બાદ ભગવાન રામની આરતી કરો.
રામ નવમીનું મહત્વ
ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર વદ નોમના રોજ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્રના રૂપમાં થયો હતો. ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન રામે પોતાના જીવનના માધ્યમથી ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા છે.