ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર વ્યાજમાં જ રૂ. 2,00,000ની કમાણી! જાણો પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ વિશે
Last Updated: 11:11 AM, 20 January 2026
ADVERTISEMENT
રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો અને એવી જગ્યાએ પૈસા લગાવવા માગો છો જ્યાં તે સુરક્ષિત હોય તેની પર સારુ રિટર્ન પણ મળે. તો પછી પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ તમારા માટે છે. જેની ખાસ વાત તો એ છે કે કોઈ પણ રીતે પૈસા ડુબી જવાનું જોખમ નથી હોતું કારણ કે આમાં કરેલા નાના મોટા રોકાણ પર સુરક્ષા ગેરંટી સરકાર પોતે આપે છે. એક ખાસ યોજના છે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ જેમાં એક વખત પૈસા રોક્યા પછી માત્ર વ્યાજથી જ તમે 2 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી શકો છો.
ADVERTISEMENT
આજકાલ દરેક પોતાની કમાણીમાંથી કંઈ ને કંઈ બચાવે છે અને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેને જોરદાર રિટર્ન મળે. વાત પોસ્ટ ઓફિશની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ એટલે કે PO NSC Schemeની કરીયે તો સરકાર આમા રોકાણ કરવા પર 7.7 ટકા વ્યાજ આપે છે એક સારી વાત તો એ છે કે આમાં કરવામાં આવેલા રોકાણ પર વ્યાજ દર કમ્પાઉન્ડિગ આધારે ઓફર કરવામાં આવે છે અને આને મેચ્યોરિટી પછી રોકાણકારના ખાતમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
ADVERTISEMENT
અહીંયા ધ્યાન રાખો કે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જો તમારે વ્યાજનો ફાયદો લેવો હોય તો પછી તમારે રોકાણને લોક ઈન પીરિયડ સુધી ચાલુ રાખવું પડશે જે પાંચ વર્ષ સુધી હોય છે. ત્યારે જ તમને વ્યાજની ચુકવણી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ NSC સ્કીમમાં મેચ્યોરિટી પહેલા ખાતુ ક્લોઝ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે પણ આના નુકસાન છે. એક વર્ષ ઓપરેટ કર્યા પછી જો તેને બંધ કરાવશો તો તમને તમે રોકાણ કરેલા પૈસા જ પાછા આપવામાં આવશે વ્યાજનો એક પણ રૂપિયો તમને નહીં મળે. એવામાં જરૂરી છે કે તમારા રોકાણને પાંચ વર્ષ સુધી રાખો જેનાથી તમને બધા લાભ મળી શકે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, આજે ઔપચારિક એલાન
પોસ્ટ ઓફિસની આ રાષ્ટ્રીય બચત યોજનામાં કોઈ પણ નજીકના પોસ્ટ ઓફિસમાં જોઈને ખાતુ ખોલાવી શકે છે. એક બીજી વાત આને પોપ્યુલર બનાવે છે તે છે કે ટેક્સ બેનિફિટ્સ, જી હાં આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં ધાંસુ વ્યાજ સાથે જ ઈનકમ ટેક્સ એક્ટની કલમ 80 Cના ટેક્સ છૂટનો લાભ પણ મલે છે. એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનો ટેક્સ બચાવી શકો છો.
ADVERTISEMENT
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ