ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / મૂળાંક 4 ધરાવતા લોકોનું 35 વર્ષની ઉંમર બાદ બદલાય છે ભાગ્ય, રાહુ અપાવે છે અઢળક ધન અને શોહરત!
5 ફોટો ગેલેરી
Last Updated: 06:18 PM, 13 September 2026
1/5
અંકશાસ્ત્ર (Numerology) અનુસાર, કોઈપણ વ્યક્તિની જન્મતારીખ તેના ભવિષ્ય અને સ્વભાવ વિશે ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપે છે. દરેક મૂળાંક પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે. એ જ રીતે, જે લોકોનો મૂળાંક 4 છે, તેમના પર છાયા ગ્રહ રાહુનો સીધો પ્રભાવ જોવા મળે છે. રાહુના પ્રભાવને કારણે આ લોકોના જીવનના પ્રારંભિક વર્ષો સંઘર્ષ અને ઉતાર-ચઢાવથી ભરેલા હોઈ શકે છે, પરંતુ એક નિશ્ચિત ઉંમર વટાવ્યા બાદ રાહુ તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખે છે.
2/5
જે વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય, તેનો મૂળાંક 4 (4, 1+3=4, 2+2=4, 3+1=4) બને છે. રાહુ આ લોકોનો સ્વામી ગ્રહ હોવાથી આ જાતકો અત્યંત નિડર, જિદ્દી અને દૂરદર્શી સ્વભાવના હોય છે. તેઓ કોઈની ચાપલૂસી પસંદ કરતા નથી અને સામે વાળાને તુરંત સણસણતો જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે તો પણ તેઓ ધારેલું કામ પૂરું કરીને જ જંપે છે.
ADVERTISEMENT
3/5
જ્યોતિષ અને અંકશાસ્ત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મૂળાંક 4 ધરાવતા લોકોને જીવનની શરૂઆતમાં નિષ્ફળતા, વિલંબ અને અવરોધોનો સામનો કરવો પડે છે. પરંતુ 35 વર્ષની ઉંમર પછી તેમના જીવનમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. 35 વર્ષ બાદ રાહુ તેમને કરિયર, બિઝનેસ અને આર્થિક ક્ષેત્રે અપ્રત્યાશિત અને અપાર સફળતા અપાવે છે.
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ