ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / સંજૂ, અભિષેક કે વૈભવ... અફઘાનિસ્તાન સામે કોણ કરશે ઓપનિંગ? કેપ્ટન શ્રેયસ ઐય્યરે કર્યો મોટો ખુલાસો
Last Updated: 11:17 PM, 12 September 2026
ADVERTISEMENT
Team India: શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાવવા માટે તૈયાર છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મેચમાં ભારતની ઓપનિંગ જોડી કોણ હશે? વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને સંજુ સેમસન આ દિવસોમાં જબરદસ્ત ફોર્મમાં છે.
ADVERTISEMENT
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ ટી20 મેચ રમાવાની છે. પરંતુ મેચ પહેલા કેપ્ટન શ્રેયસ ઐયર અને હેડ કોચ ગૌતમ ગંભીર સામે એક મોટી સમસ્યા ઉભી થઈ છે. ટીમમાં બે ઓપનિંગની બે જગ્યા છે, પરંતુ તેના માટે ત્રણ મજબૂત દાવેદાર લાઇનમાં છે. સંજુ સેમસન, અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પહેલી મેચમાં કયા બે ખેલાડીઓને તક મળે છે તે જોવું રસપ્રદ રહેશે.
Aggressive. Trusting. Fearless 🫡
— BCCI (@BCCI) September 12, 2026
🎥 #TeamIndia Captain @ShreyasIyer15 on the mindset of Head Coach @GautamGambhir & the bond they share 🤝#AFGvIND pic.twitter.com/IURQ8F3dax
ADVERTISEMENT
આ ત્રણમાંથી એકને બહાર રાખવો ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની ગયું છે, કારણ કે ત્રણેય શાનદાર ફોર્મમાં છે. સંજુ સેમસન ટી20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો છે. દરમિયાન 15 વર્ષીય વૈભવ ઝિમ્બાબ્વેમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે.
Different sports. One tricolour 🇮🇳
— BCCI (@BCCI) September 12, 2026
🎥 #TeamIndia Captain @ShreyasIyer15 on the #AsianGames buzz & sharing space with India's best 🤝 pic.twitter.com/qy0nwGoDXy
ADVERTISEMENT
અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ સારું પ્રદર્શન કર્યું, જ્યાં તેને સંજુ સેમસન પહેલા તક આપવામાં આવી હતી. અભિષેકે કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા.
The Friendship Cup 🤝
— BCCI (@BCCI) September 12, 2026
The Captains' Photoshoot 📸
Let the #AFGvIND T20I action begin 🏆#TeamIndia pic.twitter.com/A04RiQISAL
ADVERTISEMENT
કેપ્ટન શ્રેયસ ઐયરે શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા કેપ્ટન ઐયરે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય સરળ નહીં હોય. તેમણે કહ્યું કે ટીમમાં આ ત્રણ ખેલાડીઓ હોવા એ ખુશકિસ્મતી રહેશે. ત્રણેય પોતપોતાના કામમાં માહેર છે અને સતત સારું પ્રદર્શન કર્યું છે. જે પણ મેદાનમાં ઉતરશે તે ટીમના ફાયદા માટે રમશે. ઐયરે એમ પણ કહ્યું કે તે અને કોચ ગંભીર કોઈપણ ખેલાડી સાથે વ્યક્તિગત રીતે વાત કરશે જે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવશે નહીં જેથી તેમનું મનોબળ તૂટી ન જાય અને તેઓ વિશ્વાસ રાખી શકે કે તેમને ભવિષ્યમાં સંપૂર્ણ તક મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની મુશ્કેલી વધશે? કોન્ટ્રાક્ટ માટે હવે માત્ર પ્રદર્શન નહીં, ફિટનેસ પણ ચકાસાશે
ઈશાન કિશન સંપૂર્ણપણે ફિટ
ADVERTISEMENT
મેચ પહેલા ભારતીય ચાહકો માટે વધુ એક રાહતની વાત છે. હાર્ડ હિટિંગ બેટ્સમેન ઈશાન કિશન રવિવારની મેચ માટે સંપૂર્ણપણે ફિટ છે. શુક્રવારે પ્રેક્ટિસ દરમિયાન તેને પીઠમાં થોડો દુખાવો થયો હતો, જેના પછી તે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. ઐયરે અપડેટ આપતા કહ્યું કે ઈશાન હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તે દુલીપ ટ્રોફીથી સતત ક્રિકેટ રમી રહ્યો હતો, તેથી તે થોડો થાકી ગયો હતો. તેને આરામ આપવામાં આવ્યો છે અને તે આવતીકાલની મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ