બોલિવુડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્રને પેટમાં ઈન્ફેક્શન હોવાના કારણે મુંબઈની નાનાવતી હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના ડોક્ટર વિશેષ અગ્રવાલના પ્રમાણે હજુ પણ તે હોસ્પિટલમાં છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ક્યારે રજા અપાશે તેના વિશેનો નિર્ણય ડોક્ટર આવતીકાલે લેશે.
રિપોર્ટ અનુસાર દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી પેટની સમસ્યાથી પરેસાન હતા. આ પહેલા પણ તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ હાલમાં જ 8મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.