અષાઢી બીજે ભગવાન જગન્નાથ રથયાત્રા દ્વારા નગરચર્યાએ નીકળીને મોસાળમાં આવે છે. ત્યારે ભગવાનના મોસાળનો પણ વર્ષો જૂનો અનેરો મહિમા છે. ત્યારે આજે બતાવીશુ ભગવાનના જૂના મોસાળનો મહિમા.
મોસાળનો મહિમા
ભગવાન જગન્નાથજીના મોસાળનો અનેરો મહિમા
ભગવાન જગન્નાથનું મોસાળ છે સરસપુર
પંદર દિવસ માટે પ્રભુ આવે છે મોસાળ
આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 139 મી રથયાત્રા નીકળનારી છે. જેમાં ભગવાન જગન્નાથ પંદર દિવસ માટે મોસાળ માં આવે છે. સરસપુરમાં આવેલ વાસણ શેરીમાં આજ થી સો વર્ષ પહેલા એક મકાનમાં ધરાશયી થઇ ગયું હતું જેમાંથી ખોદકામ દરમિયાન ભગવાનની મૂર્તિ મળી આવી હતી.. સરસપુરના લોકોએ આ મુર્તિને ભગવાનના આશીર્વાદ સમજીને અહી મકાનમાં નાનું મંદિર બનાવ્યું. ત્યારે અમુક વિસ્તારોમાં ફરતી ભગવાન જગન્નાથની રથયાત્રા સરસપુર ગામમાં આવતી થઇ.
આ રથની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પણ આવતા હતા પણ આ સાધુ સંતો રથયાત્રા પરત ફરીને જ જમતા હતા. મહંત વાસુદેવજીએ રથયાત્રામાં આવતા તમામ લોકો માટે ખીચડી અને શાકની પ્રસાદી શરુ કરી. ધીમે ધીમે લોકોને શ્રદ્ધા વધતા સરસપુર ગામ અને આસપાસના લોકોએ રસોઈ શરુ કરી હતી જે પરંપરા આજે પણ શરુ છે.
આ મંદિર અતિ પ્રાચિન ગણવામાં આવે છે અને લોકો તન મન ધન થી અહી સેવા કરે છે. ત્યારે આ મંદિરમાં કોઈ ટ્રસ્ટ કે કમિટી નથી ફકત સમાજ સેવા જ આ મંદિરનો મુખ્ય હેતુ બની રહ્યો છે.