બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / news_detail-20975

NULL / જાણો ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર મંદીરનો મહિમા

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અષાઢી બીજે ભગવાન જગન્નાથ રથયાત્રા દ્વારા નગરચર્યાએ નીકળીને મોસાળમાં આવે છે. ત્યારે ભગવાનના મોસાળનો પણ વર્ષો જૂનો અનેરો મહિમા છે. ત્યારે આજે બતાવીશુ ભગવાનના જૂના મોસાળનો મહિમા.

મોસાળનો મહિમા 
ભગવાન જગન્નાથજીના મોસાળનો અનેરો મહિમા 
ભગવાન જગન્નાથનું મોસાળ છે સરસપુર  
પંદર દિવસ માટે પ્રભુ આવે છે મોસાળ 

આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 139 મી રથયાત્રા નીકળનારી છે. જેમાં ભગવાન જગન્નાથ પંદર દિવસ માટે મોસાળ માં આવે છે. સરસપુરમાં આવેલ વાસણ શેરીમાં આજ થી સો વર્ષ પહેલા એક મકાનમાં ધરાશયી થઇ ગયું હતું જેમાંથી ખોદકામ દરમિયાન ભગવાનની મૂર્તિ મળી આવી હતી.. સરસપુરના લોકોએ આ મુર્તિને ભગવાનના આશીર્વાદ સમજીને અહી મકાનમાં નાનું મંદિર બનાવ્યું. ત્યારે અમુક વિસ્તારોમાં ફરતી ભગવાન જગન્નાથની  રથયાત્રા સરસપુર ગામમાં આવતી થઇ. 
 
આ રથની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પણ આવતા હતા પણ આ સાધુ સંતો રથયાત્રા પરત ફરીને જ જમતા હતા. મહંત વાસુદેવજીએ રથયાત્રામાં આવતા તમામ લોકો માટે ખીચડી અને શાકની પ્રસાદી શરુ કરી. ધીમે ધીમે લોકોને શ્રદ્ધા વધતા સરસપુર ગામ અને આસપાસના લોકોએ રસોઈ શરુ કરી હતી જે પરંપરા આજે પણ શરુ છે.  

આ મંદિર અતિ પ્રાચિન ગણવામાં આવે છે અને લોકો તન મન ધન થી અહી સેવા કરે છે. ત્યારે આ મંદિરમાં કોઈ ટ્રસ્ટ કે કમિટી નથી ફકત સમાજ સેવા જ આ મંદિરનો મુખ્ય હેતુ બની રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ