ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપીઓનો આંકડો 40 પર પહોંચ્યો

ગુજરાત / ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપીઓનો આંકડો 40 પર પહોંચ્યો

Published By: Nidhi Panchal

Last Updated: 07:00 AM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના નકલી દારૂકાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ફરાર આરોપી હરદીપસિંહ ગોહિલને સિહોર પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓનો આંકડો 40 પર પહોંચ્યો છે.

ADVERTISEMENT

ભાવનગરના નકલી દારૂકાંડમાં તપાસનો દોર સતત આગળ વધી રહ્યો છે. આ કેસમાં ફરાર ચાલી રહેલા વરતેજના હરદીપસિંહ ગોહિલની સિહોર પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે તપાસ માટે હરદીપસિંહના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે, બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

BVn

પોલીસ તપાસ દરમિયાન હરદીપસિંહ ગોહિલ અંગે કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ સિહોરના સર ગામે રોયલ સ્ટેગની 10 પેટી સપ્લાય કરી હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત નકલી દારૂકાંડના આરોપી ગૌતમ સોલંકી સાથે પણ હરદીપસિંહનું કનેક્શન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હવે રિમાન્ડ દરમિયાન પોલીસ હરદીપસિંહની વધુ પૂછપરછ કરશે અને નકલી દારૂના સપ્લાય તેમજ સમગ્ર નેટવર્કમાં તેની ભૂમિકા અંગે તપાસ હાથ ધરાશે.

ઝડપાયેલા આરોપીઓનો આંકડો 40 પર પહોંચી ગયો

હરદીપસિંહની ધરપકડ સાથે નકલી દારૂકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો આંકડો 40 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 27 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે 11 આરોપીઓના રિમાન્ડ આવતીકાલે પૂર્ણ થશે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ તમામ 11 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

પૂછપરછ દરમિયાન નકલી દારૂના સમગ્ર સપ્લાય નેટવર્ક

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ દરમિયાન નકલી દારૂના સમગ્ર સપ્લાય નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને આ કેસમાં અન્ય કયા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી છે. પોલીસ તપાસનો મુખ્ય ફોકસ નકલી દારૂ ક્યાંથી આવતો હતો, કોના મારફતે તેની સપ્લાય થતી હતી અને આ સમગ્ર નેટવર્કમાં કયા લોકોની ભૂમિકા હતી તે જાણવા પર છે.

11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

આ કેસમાં પોલીસકર્મીની પૂછપરછ પણ યથાવત છે. વરતેજ ASPની બ્રાન્ચમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ગોહિલના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજેન્દ્રસિંહ ગોહિલની ભૂમિકા અને નકલી દારૂકાંડના આરોપીઓ સાથે તેના કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનીવાલ બન્યા સુરત મ્યુનિસિપલ કમિશ્નર

આ રીતે નકલી દારૂકાંડમાં તપાસ હવે માત્ર આરોપીઓની ધરપકડ સુધી સીમિત રહી નથી. પોલીસ દ્વારા સપ્લાય ચેઇનથી લઈને નાણાકીય વ્યવહારો અને સંભવિત પોલીસ કનેક્શન સુધી તપાસ કરવામાં આવી રહી છે. હરદીપસિંહના 4 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ તેની પાસેથી નકલી દારૂના સપ્લાય અને સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fake Liquor Supply Hardeep Singh Arrest Bhavnagar Fake Liquor Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ